ગુજરાતની ચૂંટણીમાં ભાજપ 150 બેઠક જીતશે : રાજનાથ

Raj Nath Singh
બેચરાજી, 13 સપ્ટેમ્બર : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી વિવેકાનંદ યાત્રા અંતર્ગત બેચરાજીમાં યોજાયેલી સભામાં ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના શ્રેષ્ઠ પ્રદર્શનનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે ભાજપ આગામી ચૂંટણીમાં 150થી વધુ બેઠકો જીતશે.

ઉત્તર ગુજરાતના બેચરાજીમાં વિવેકાનંદ યાત્રા અંતર્ગત યોજયેલી સભામાં બોલતા ભાજપના લોકસભા સાંસદ રાજનાથ સિંહે જણાવ્યું કે 'મને ગુજરાતમાં લોકોનો સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે તેના આધારે હું કહું છે કે ગુજરાતમાં ગઇ વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં વધારે બેઠકો પર વિજય મળશે. ગુજરાત ભાજપ અંદાજે 150 બેઠકો જીતશે.'

તેમણે ગુજરાતમાં મોદી સરકારે કરેલા વિકાસના દાખલા આપવાની સાથે જણાવ્યું કે 'ગુજરાતમાં થયેલા વિકાસને કારણે તે વૈશ્વિક કક્ષાએ ઝળક્યું છે. આ કારણે ગુજરાત વિધાન સભા ચૂંટણી 2012 પર માત્ર ગુજરાત કે ભારતના લોકો નહીં પણ સમગ્ર વિશ્વના લોકોની નજર રહેશે. ગુજરાતમાં વિજય બાદ આગામી સમયમાં યોજાનારી લોકસભા ચૂંટણીઓમાં ભાજપને આગળ વધતા કોઇ રોકી શકશે નહીં.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X