ભૂપત ભાયાણીના રાજીનામા બાદ બોટાદના ધારાસભ્યે ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ
Botad MLA Umesh Makwana: વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દેતા, હવે વિધાનસભામાં આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્ય જ રહ્યા છે. આ સાથે આમ આદમી પાર્ટીના બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા રાજીનામું આપે તેવી અટકળો મીડિયામાં વહેતી થઇ છે.
આ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા અને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામું આપવા બાબતે પ્રતિક્રિયા આપી છે.

આ અંગે ઉમેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ભાજપની સરકાર દ્વારા આપના ધારાસભ્યોને ખોટા કેસો કરી દબાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોવાના કારણે ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું હોવાની શક્યતા છે.
બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું કે, મારા રાજીનામાની ચર્ચા માત્ર અફવા છે, હું પાંચ વર્ષ સુધી આપમા જ રહેવાનો છું. અમે ચારેય આપના ધારાસભ્યો પક્ષમાં જ રહેવાના છીએ.
ઉલ્લેખનીય છે કે, ગઢડા તાલુકાનાં જનડા ગામે માંગલિક પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા. જે દરમિયાન તેમના દ્વારા આ પ્રતિક્રિયા આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, તેમનો ધારાસભ્ય તરીકેનો એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે, તેથી તેમની સંપત્તિની ACB દ્વારા તપાસ કરવામાં આવે અને તેની માહિતી સરકારી વેબસાઇટ પર જાહેર કરવામાં આવે.












Click it and Unblock the Notifications
