મહારાષ્ટ્રથી ગુજરાત આવી રહેલી બસનો અકસ્માત, 15 યાત્રીઓ ઘાયલ
મહારાષ્ટ્રથી ગુજરાત આવી રહેલી બસનો અકસ્માત, 15 યાત્રીઓ ઘાયલ
સુરત જિલ્લાના બારડોલી- ગંગાધર વચ્ચે ગોજારો અકસ્માત થયો છે. બસ ઉંડી ખીણમાં ખાબકતાં 15 લોકો ઘાયલ થઈ ગયા. આ બસ મહારાષ્ટ્રના ભુસાવલથી અમદાવાદ આવી રહી હતી. આ બસમાં કુલ 35 મુસાફરો સવાર હતા. ઘટના બાદ ઘટનાસ્થળે બુમાબુમ થઈ હતી. ત્યાંથી પસાર થઈ રહેલા મુસાફરો અને સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા. તમામ ઘાયલ મુસાફરોને ઈલાજ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.
થોડા ઘાયલ મુસાફરોએ જણાવ્યું કે, બસના ડ્રાઈવર અને કંડક્ટર દારૂના નશામાં હતો. રાત્રે બસમાં સવાર મોટાભાગના લોકો ઊંઘી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ. બસ અનિયંત્રિત થતાં જ ડ્રાઈવર અને કંડક્ટર બસમાંથી કૂદી ગયા. ખાડીમાં ગગડતા પહેલાં બસે 3 વાર પલટી ખાધી. અકસ્માત થયો ત્યારથી જ બસના ડ્રાઈવર અને કંડક્ટર ફરાર છે.
ભાજપે મારા પરિવાર પર હુમલો કર્યો પરંતુ હું તેમના જેટલા સ્તરે નહિ જઉઃ ઉદ્ધવ ઠાકરે
અમરેલીમાં પણ બસ પલટી ગઈ હતી
ગુજરાતમાં જ અગાઉ પણ એક બસ પલટી ગઈ હતી. તે દુર્ઘટના અમરેલી જિલ્લાના ગોરકડા ગામ પાસે સર્જાઈ, જ્યાં યાત્રીઓને લઈ જઈ રહેલી બસ પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનાને પગલે એક મહિલા સહિત 2 યાત્રીઓના મોત થયાં અને 13 લોકો ઘાયલ થયા હતા.