સુરતમાં સી.આર. પાટિલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની "મન કી બાત" કાર્યક્રમ નિહાળ્યો
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ આજે સૂરતના પ્રવાસે હતા. જ્યાં તેમના દ્વારા આઇ હૉસ્પિટલ નું ઉદ્દઘાટન કર્યુ હતુ. તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મહિનાના છેલ્લા રવિવારે રડિયો પર આવતો મન કી બાત કાર્યક્
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ આજે સૂરતના પ્રવાસે હતા. જ્યાં તેમના દ્વારા આઇ હૉસ્પિટલ નું ઉદ્દઘાટન કર્યુ હતુ. તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મહિનાના છેલ્લા રવિવારે રડિયો પર આવતો મન કી બાત કાર્યક્રમ સૂરતના કાર્યકર્તા સાથે નિહાળ્યો હતો. બૂથ પર જઇને સભ્ય નોધણી પણ કરી હતી.
સુરત ખાતે ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ હસ્તે " આઈ હોસ્પિટલ" નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ ઉપપ્રમુખ એમ. એસ પટેલ, સુરત મહામંત્રી કિશોરભાઈ બિંદલ, કાળુભાઈ ભીમનાથ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પટેલ , શાશક પક્ષ નેતા અમિતભાઈ રાજપૂત , ચેરમેન અને મેનેજીંગ ડાયરેકટર મહિપાલ એસ. સચડેવ, ડો. પરેશભાઈ વૈદ્ય, ડો. પ્રફુલભાઈ છસટીયા, ઉપસ્થિત રહ્યા.
સુરત ખાતે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો મન કી બાત કાર્યક્રમ સૌ કાર્યકર્તાઓ સાથે નિહાળ્યો. પ્રાથમિક સદસ્યતા અભિયાન અંતર્ગત મારા બૂથ પર જઇ સભ્યોની નોંધણી કરી.