ઇશરત કેસમાં CBIએ કહ્યું અમિત શાહે વણઝારા સાથે વાત કરી હતી

સીબીઆઇ માને છે કે ફોન કરનાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ઓફિસરો અને તે વખતના ઇન્ટેલીજન્સ બ્યુરોના વડા સાથે સતત સંપર્કમાં હતા. ગુજરાતના અગ્રણી અખબારોના અહેવાલ જણાવે છે કે ઇશરત જહાં સહિત ચારના એન્કાઉન્ટરના ગણતરીના કલાકો પહેલા અને પછી પૂર્વ ગૃહ રાજયમંત્રી અમિત શાહ અને એન્કાઉન્ટરને અંજામ આપનાર ક્રાઇમ બ્રાન્ચના તત્કાલિન ડીસીપી ડી જી વણઝારા વચ્ચે વારંવાર વાતચીત થઇ હતી.
સીબીઆઇના સૂત્રો કહે છે કે, અમિત શાહ અને ડી જી વણઝારા વચ્ચે અસામાન્ય સમયે વાતચીત થઇ હતી. શું વાતચીત થઇ હતી તે જાણવા અમે વણઝારાની પૂછપરછ કરી રહ્યા છીએ અને જરૂર પડયે અમિત શાહને પણ પૂછપરછ માટે બોલાવાશે. પૂર્વ આઇપીએસ ઓફિસર ડી.જી.વણઝારા, તેમના બોસ તત્કાલીન ડીજીપી પી.પી.પાંડે કે જેઓ હાલ અદ્રશ્ય છે તેઓ અને તે વખતના સેન્ટ્રલ આઇબીના ઓફિસર રાજેન્દ્રકુમારના ફોન કોલ રેકોર્ડસ દર્શાવે છે કે તેઓ બધા મુખ્યમંત્રી કાર્યાલયના કોઇ વ્યકિત સાથે સતત સંપર્કમાં હતા.
સીબીઆઇના સૂત્રો જણાવે છે કે ઇશરત જહાં અને અન્ય ત્રણના જે દિવસે મોત થયા તે 14 જૂન, 2004ના રોજ પણ તેઓ બધા વચ્ચે વાતચીત થઇ હતી. એન્કાઉન્ટર પહેલા અને પછી પાંડે અને રાજેન્દ્રકુમાર સીએમઓના ફોન કરનારના સંપર્કમાં હતા. સીબીઆઇ હવે એ જાણવા માંગે છે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી કોણ આ બધાના સંપર્કમાં હતા. હાલમાં આ ઓપરેશનમાં કેટલાક રાજકારણીઓ, આઇબી અને ક્રાઇમ બ્રાન્ચના તત્કાલિન જેસીપી પી પી પાંડે તથા વણઝારાની ભૂમિકા હોય તેવું જણાય છે.
સીબીઆઇના સૂત્રોનું કહેવું છે કે એન્કાઉન્ટર સાથે સંકળાયેલા તમામ અધિકારીઓના જૂન 2004ના ફોનકોલ્સ ડિટેઇલ કઢાવ્યા છે. જેમાં એન્કાઉન્ટર પહેલા અને પછી અમિત શાહ અને વણઝારા વચ્ચે વાતચીત થયાનું જણાય છે. હાલ આ કોલ ડિટેઇલનું પૃથક્કરણ પણ કરવામાં આવી રહ્યુ છે જેમાં કેટલાક મોટા માથાઓની સંડોવણી પ્રકાશમાં આવે તેવી શકયતા છે.
-
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી







Click it and Unblock the Notifications
