ઇશરત કેસમાં CBIએ કહ્યું અમિત શાહે વણઝારા સાથે વાત કરી હતી

સીબીઆઇ માને છે કે ફોન કરનાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ઓફિસરો અને તે વખતના ઇન્ટેલીજન્સ બ્યુરોના વડા સાથે સતત સંપર્કમાં હતા. ગુજરાતના અગ્રણી અખબારોના અહેવાલ જણાવે છે કે ઇશરત જહાં સહિત ચારના એન્કાઉન્ટરના ગણતરીના કલાકો પહેલા અને પછી પૂર્વ ગૃહ રાજયમંત્રી અમિત શાહ અને એન્કાઉન્ટરને અંજામ આપનાર ક્રાઇમ બ્રાન્ચના તત્કાલિન ડીસીપી ડી જી વણઝારા વચ્ચે વારંવાર વાતચીત થઇ હતી.
સીબીઆઇના સૂત્રો કહે છે કે, અમિત શાહ અને ડી જી વણઝારા વચ્ચે અસામાન્ય સમયે વાતચીત થઇ હતી. શું વાતચીત થઇ હતી તે જાણવા અમે વણઝારાની પૂછપરછ કરી રહ્યા છીએ અને જરૂર પડયે અમિત શાહને પણ પૂછપરછ માટે બોલાવાશે. પૂર્વ આઇપીએસ ઓફિસર ડી.જી.વણઝારા, તેમના બોસ તત્કાલીન ડીજીપી પી.પી.પાંડે કે જેઓ હાલ અદ્રશ્ય છે તેઓ અને તે વખતના સેન્ટ્રલ આઇબીના ઓફિસર રાજેન્દ્રકુમારના ફોન કોલ રેકોર્ડસ દર્શાવે છે કે તેઓ બધા મુખ્યમંત્રી કાર્યાલયના કોઇ વ્યકિત સાથે સતત સંપર્કમાં હતા.
સીબીઆઇના સૂત્રો જણાવે છે કે ઇશરત જહાં અને અન્ય ત્રણના જે દિવસે મોત થયા તે 14 જૂન, 2004ના રોજ પણ તેઓ બધા વચ્ચે વાતચીત થઇ હતી. એન્કાઉન્ટર પહેલા અને પછી પાંડે અને રાજેન્દ્રકુમાર સીએમઓના ફોન કરનારના સંપર્કમાં હતા. સીબીઆઇ હવે એ જાણવા માંગે છે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી કોણ આ બધાના સંપર્કમાં હતા. હાલમાં આ ઓપરેશનમાં કેટલાક રાજકારણીઓ, આઇબી અને ક્રાઇમ બ્રાન્ચના તત્કાલિન જેસીપી પી પી પાંડે તથા વણઝારાની ભૂમિકા હોય તેવું જણાય છે.
સીબીઆઇના સૂત્રોનું કહેવું છે કે એન્કાઉન્ટર સાથે સંકળાયેલા તમામ અધિકારીઓના જૂન 2004ના ફોનકોલ્સ ડિટેઇલ કઢાવ્યા છે. જેમાં એન્કાઉન્ટર પહેલા અને પછી અમિત શાહ અને વણઝારા વચ્ચે વાતચીત થયાનું જણાય છે. હાલ આ કોલ ડિટેઇલનું પૃથક્કરણ પણ કરવામાં આવી રહ્યુ છે જેમાં કેટલાક મોટા માથાઓની સંડોવણી પ્રકાશમાં આવે તેવી શકયતા છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
