સીબીઆઇ સમન્સ મોકલી મોદી અને અમિત શાહને કરી શકે છે પૂછપરછ
બીજી તરફ આ કેસમાં સીબીઆઇએ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ વિરૂદ્ધ 90 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી શકી નથી. જેના કારણે આ અધિકારીઓને જામીન મળવાનો અને જેલમાંથી બહાર નિકળવાનો રસ્તો મોકળો થઇ જશે.
આ અધિકારીઓમાં વરિષ્ઠ આઇપીએસ અધિકારી જીએલ સિંઘલ સહિત કેટલાક અન્ય નામો પણ સામેલ છે જેમાં એક નામ ડીઆઇજી ડીજી વણઝારાનું પણ છે. જો કે તે સોહરાબુદ્દીન એન્કાઉન્ટરમાં પણ સામેલ છે. સીબીઆઇ નિર્ધારિત સમયમાં ચાર્જશીટ દાખલ ન કરી શકતાં જે ફાયદો પોલીસના ઉપરી અધિકારીઓને થયો તેનાથી કેટલાક લોકોના મોઢા ફૂલી ગયા છે.
ઇશરત જહાં કેસમાં સીબીઆઇ જૂનના પ્રથમ અઠવાડિયામાં ચાર્જશીટ દાખલ કરી દેશે. સિંઘલ આ કેસમાં પહેલાંથી જ પોલીસ સેવામાંથી રાજીનામું આપી ચૂક્યાં છે. જેલમાં રહેવા દરમિયાન તેમને કોઇપણ પ્રકાર સેવા લેવાની મનાઇ કરી દિધી હતી. મે 2011માં આ કેસમાં લુપ્ત પોલીસ અધિકારીઓએ સીબીઆઇ તપાસની માંગણી કરી હતી.