Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે વધારી ચિંતા, ત્રણ અઠવાડિયામાં નોંધાયા 13 કેસ, 8 બાળકોના મોત

Chandipura Virus in Gujarati: ચોમાસાની શરૂઆત થતાં જ ચાંદીપુરા વાયરસે ગુજરાત અને આસપાસના રાજ્યોમાં માથું ઉંચક્યું છે. છેલ્લા 3 અઠવાડિયાથી હાહાકાર મચાવી રહેલા ચાંદીપુરા વાયરસે ગુજરાતમાં 8 બાળકોનો ભોગ લીધો છે. જ્યારે અન્ય કેટલાક શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.

જૂનના અંતિમ સપ્તાહમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો હતો. જે બાદ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 13 કેસ નોંધાયા છે. જેમાંથી 8 બાળકોના મોત થયા છે.

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત - ચાંદીપુરા કેસના ડેટા પર નજર કરીએ, તો જીવલેણ ચાંદીપરા વાયરસથી સૌથી વધુ પ્રભાવિત સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં 4 કેસ નોંધાયા છે, જેમાંથી 2 બાળકોના મોત થયા છે.

આવી જ રીતે અરવલ્લીમાં નોંધાયેલા 3 ચેપગ્રસ્ત બાળકોના મોત થયા છે. જ્યારે મહીસાગર અને રાજકોટમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત એક-એક દર્દીનું મોત થયું છે.

ખેડા અને મહેસાણામાંથી એક-એક કેસ નોંધાયો - આ ઉપરાંત ખેડા અને મહેસાણામાં 1-1 દર્દી નોંધાયા છે. જ્યારે અન્ય બે દર્દીઓમાં એક રાજસ્થાનનો અને એક મધ્યપ્રદેશનો છે. હાલ 5 દર્દીઓ તબીબોની દેખરેખ હેઠળ સારવાર હેઠળ છે. હાલમાં આ વાયરસના કારણે રાજ્યનું આરોગ્ય તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે.

Chandipura Virus

ચાંદીપુરા વાયરસ શું છે? - ચાંદીપુરા વાયરસથી સંક્રમિત બાળકોના મગજમાં સોજો આવી જાય છે, જેના કારણે બાળકોમાં પહેલા ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે, અને ટૂંક સમયમાં તેઓ કોમામાં જાય છે અથવા મૃત્યુ પામે છે.

ચાંદીપુરા વાયરસનું નામ મહારાષ્ટ્રના એક ગામ ચાંદીપુરા પરથી રાખવામાં આવ્યું છે. આ ગામમાં ચાંદીપુરા વાયરસથી પીડિત બાળકોનો પહેલો કેસ 1965માં જોવા મળ્યો હતો.

આ વાયરસ સામાન્ય રીતે 14 વર્ષથી ઓછી ઉંમરના લોકોને અસર કરે છે. ખાસ કરીને ચાંદીપુરા વાયરસ બાળકોને પોતાનો શિકાર બનાવે છે.

ચાંદીપુરા વાયરસ કેમ ફેલાય છે? - ચાંદીપુરા વાયરસ સામાન્ય રીતે રેતીની માખીઓ અથવા મચ્છરો દ્વારા ફેલાય છે. સેન્ડ ફ્લાય એ ફ્લાયની એક પ્રજાતિ છે, જે રેતી અને કાદવમાં જોવા મળે છે, અને વરસાદ દરમિયાન ઉપદ્રવ મચાવે છે.

મેદાની વિસ્તારોમાં પણ ચાંદીપુરા વાયરસનો ખતરો છે. કારણ કે, મચ્છર પણ આ વાયરસ ફેલાવી શકે છે. પ્રાણી સંશોધન દર્શાવે છે કે, વાયરસ દર્દીના ચેતાકોષો (ચેતાતંતુઓ) પર હુમલો કરે છે, અને નુકસાન પહોંચાડે છે, જેના કારણે મગજમાં બળતરા થાય છે.

ચાંદીપુરા વાયરસના લક્ષણો શું છે?

  • તીવ્ર તાવ અને માથાનો દુખાવો અચાનક શરૂ થાય છે
  • ઉબકા અને સતત ઉલ્ટી
  • નબળાઈથી બેહોશ થવું

ચાંદીપુરા વાયરસની સારવાર

  • ચાંદીપુરા વાયરસ માટે હાલમાં કોઈ ચોક્કસ સારવાર નથી.
  • આ વાયરસ ખતરનાક હોવાથી અને તેના લક્ષણો એન્સેફાલીટીસ (મગજના તાવ) જેવા જ હોવાથી દર્દીએ શક્ય તેટલી વહેલી તકે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
  • ચાંદીપુરા વાયરસથી બચવા માટે મચ્છર અને માખીઓથી બચવું અને સ્વસ્થ આહાર લેવો જરૂરી છે.
  • ચોમાસા દરમિયાન માખીઓ ખુલ્લામાં મળેલો ખોરાક ખાય છે, જેના કારણે આ ખાદ્ય પદાર્થો તમને આ જીવલેણ રોગનો શિકાર બનાવી શકે છે.
  • આ વાયરસથી બચવા માટે સ્વચ્છતા અને સાવચેતી જરૂરી છે.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X