છોટાઉદેપુરઃ કાર અને બસ વચ્ચે ગોઝારો અકસ્માત, 4ના જીવ ભરખી ગયો

છોટાઉદેપુરઃ કાર અને બસ વચ્ચે ગોઝારો અકસ્માત, 4ના જીવ ભરખી ગયો

છોટાઉદેપુર જિલ્લાના છુછાપુરા ગામ નજીક રોડવેજની બસ અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો. બંને વાહનોની ટક્કર એટલી ભીષણ હતી કે કારનો કુયડો વળી ગયો. આ દુર્ઘટનામાં કારચાલક સહિત 4 લોકોના મૃત્યુ થયાં છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્ત લોકોને કાર અને બસમાંથી બહાર કાઢ્યા.

Chhota udepur

પોલીસે જણાવ્યું કે, જે લોકોના જીવ ગયા છે, તેઓ તમામ મધ્ય પ્રદેશના ખરગૌનના રહેવાસી હતા. મૃતકોની ઓળખ ગ્યારસીલાલ પટેલ (36), દિનેશ પટેલ (43), ઈશ્વરલાલ બિરલા (46) અને રાજેશ દેવરામ (37) તરીકે થઈ છે. મળેલી માહિતી મુજબ એસટી બસ છોટાઉદેપુરથી કાલાવડ તરફ જઈ રહી હતી. બસ જ્યારે છુછાપુરા ગામ નજીક પહોંચી ત્યારે જ બોડેલી તરફથી સામે આવી રહેલી કારનો બસ સાથે અકસ્માત થયો. આ અકસ્માત અડધી રાત્રે થયો હતો.

Chhota udepur

બસ-કારની ટક્કર થવા પર બસના કંડક્ટર પ્રવીણ ડામોરે બસમાં સવાર યાત્રીઓને નીચે ઉતાર્યા. જ્યારે કારમાં સવાર લોકોની હાલત ગંભીર હતી. તેમાં બેઠેલા ચારેય લોકોના શરીર ફસાઈ ગયાં હતાં. આ ઘટના બાદ પોલીસે કારમાં સવાર ચારેય લોકોને બહાર કાઢ્યા. જો કે ચારેય લોકોના મોત થઈ ચૂક્યાં હતાં. આ મામલે બસચાલકે જ મામલો નોંધાવ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X