ઓમિક્રોનનો કેસ નોંધાતા રાજ્ય સરકાર એક્શનમા, CM એ બેઠક બોલાવી!
ગુજરાતમાં જામનગરમાં ઓમીક્રોનનો પ્રથમ કેસ મળી આવવાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આરોગ્ય તંત્રની આ નવા વેરિઅન્ટ સામે સજ્જતા માટે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી સમીક્ષા કરી હતી.
ગાંધીનગર : ગુજરાતમાં જામનગરમાં ઓમીક્રોનનો પ્રથમ કેસ મળી આવવાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આરોગ્ય તંત્રની આ નવા વેરિઅન્ટ સામે સજ્જતા માટે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી સમીક્ષા કરી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા.

મુખ્યમંત્રીએ ભારત સરકાર દ્વારા ઓમીક્રોન વેરિઅન્ટ સંદર્ભે બહાર પાડવામાં આવેલી નવી ગાઇડલાઇન્સનો રાજ્યમાં ચુસ્તપણે અમલ કરવાની સૂચનાઓ આ બેઠકમાં આપી હતી. આ સૂચનાઓના પાલનમાં સતર્કતા રાખીને કોઈ બાંધછોડ નહિ કરવા પણ તાકીદ કરી હતી. ગુજરાતમાં ૩-T ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને પોઝિટિવ કેસમાં ટ્રીટમેન્ટની વ્યૂહરચના સાથે આગળ વધવા સૂચનાઓ આપી હતી
મુખ્યમંત્રીએ આ નવા વેરિઅંટ સંદર્ભમાં નાગરિકોને સતર્કતા અને સાવચેતી રાખવાનો ખાસ આગ્રહ કરતા સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝેશનનો ઉપયોગ પૂર્ણપણે કરવાની અપીલ પણ કરી છે. આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાશનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા.
ઉલ્લેખનિય છે કે, જામનગરમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો એક કેસ મળ્યો છે. આ વેરિઅન્ટને ખતરનાક માનવામાં આવી રહ્યું છે. દિવસે દિવસે વિવિધ દેશોમાં ફેલાઈ રહેલું ઓમિક્રોન દુનિયા માટે મોટો ખતરો બની શકે તેમ હોવાથી સરકારો પહેલેથી જ એલર્ટ પર છે. જેને લઈને ભારતે પણ પ્રતિબંધો મુક્યાં છે.












Click it and Unblock the Notifications
