મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાનું રિયલ ટાઇમ મોનિટરીગની કર્યુ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ ની ભગવાન જગન્નાથની ૧૪૬ મી રથયાત્રાને નગર ચર્યા માટે પ્રસ્થાન કરાવ્યા બાદ ગાંધીનગરમાં મુખ્ય મંત્રી નિવાસ સ્થાનેથી સી .એમ. ડેશબોર્ડની વિડિયો વોલ પર સમગ્ર યાત્રા ના માર્ગ નું નિરીક્ષણ અને રથયાત્રાના શરુઆત ના રૂટ નું રિયલ ટાઈમ મોનીટરીંગ કરી વિસ્તૃત જાણકારી મેળવી હતી.

ખાસ કરીને ભગવાન ના મુખ્ય રથનો માર્ગ તેમજ યાત્રામા જોડાયેલા પદયાત્રીઓની બારીકાઇ થી વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ સંવેદનશીલ વિસ્તારોમાં ગોઠવવામા આવેલા સલામતી સુરક્ષા ના પોલીસ પ્રબંધ અંગે પણ વિડિયો વોલ દ્વારા ઝીણવપૂર્વકની જાણકારી મેળવી હતી.
આ વેળાએ મુખ્ય સચિવ રાજકુમાર , મુખ્યમંત્રી ના મુખ્યઅગ્ર સચિવ કૈલાસનાથન, ગૃહ વિભાગ ના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરી તેમજ પોલીસ મહાનિદેશક વિકાસ સહાય અને અધિકારીઓ પણ આ નિરીક્ષણ માં જોડાયા હતા.
આ રથયાત્રા નું સમગ્ર દિવસ દરમ્યાન મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી સી એમ ડેશ બોર્ડ દ્વારા અમદાવાદ શહેર પોલીસ અને મહાનગર પાલિકાની ટીમ દ્વારા રિયલ ટાઈમ મોનીટરીંગ કરવાની વ્યવસ્થા ગોઠવવા માં આવેલી છે.
આ ટીમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રથયાત્રાની છેલ્લા માં છેલ્લી સ્થિતિ થી માહિતગાર રાખશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
