અંબાજી મેળાના નામે એસટી વિભાગની ઉઘાડી લૂંટ, ડબલ ભાડુ વસુલાતુ હોવાની ફરિયાદો ઉઠી
ગુજરાતના જાણીણા યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ ગઈ છે. મેળામાં લાખો લોકો આવે છે ત્યારે એસટી દ્વારા અંબાજીથી ગબ્બર સુધી ખાસ બસ ચલાવવામાં આવે છે.
મેળાની શરૂઆત સાથે જ લોકોમાં એસટી વિભાગની લૂંટની ફરિયાદો ઉઠી છે. લોકો ફરિયાદ કરી રહ્યાં છે કે એસટી દ્વારા ડબલ ભાડુ વસુલવામાં આવી રહ્યું છે.

લોકોની ફરિયાદ છે કે સામાન્ય દિવસોમાં જ્યાં માત્ર 9 રૂપિયા ભાડુ થાય છે ત્યાં એસટીની ખાસ બસોમાં 20 રૂપિયા ભાડુ વસુલવામાં આવી રહ્યું છે.
સામાન્ય દિવસોમાં અંબાજી એસટી ડેપો દ્વારા 9 રૂપિયા ભાડુ 3કિમીનુ લેવાય છે ત્યારે ભાદરવી મેળામાં 20 રૂપિયા ભાડુ વસુલાતા લોકોમાં ભાડું કરતા ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે.
જણાવી દઈએ કે, કામાક્ષી મંદિરથી 51 શક્તિપીઠ સર્કલ સુધી ભક્તોને એસટીમાં ફ્રી લઈ જવાય છે તો ગબ્બર જવા 20 રૂપિયા ભાડુ વસુલાય છે.
પરિક્રમા મહોત્સવ વખતે સમગ્ર ગુજરાતમાંથી ભક્તોને વિનામૂલ્ય અંબાજી લાવવામાં આવતા હતા અને ફ્રીમાં જમાડવામાં આવતા હતા. જ્યારે ભાદરવી મેળા માટે અલગ નિયમને લઈને પણ ફરિયાદો ઉઠી છે.












Click it and Unblock the Notifications
