અંબાજી મેળાના નામે એસટી વિભાગની ઉઘાડી લૂંટ, ડબલ ભાડુ વસુલાતુ હોવાની ફરિયાદો ઉઠી
ગુજરાતના જાણીણા યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ ગઈ છે. મેળામાં લાખો લોકો આવે છે ત્યારે એસટી દ્વારા અંબાજીથી ગબ્બર સુધી ખાસ બસ ચલાવવામાં આવે છે.
મેળાની શરૂઆત સાથે જ લોકોમાં એસટી વિભાગની લૂંટની ફરિયાદો ઉઠી છે. લોકો ફરિયાદ કરી રહ્યાં છે કે એસટી દ્વારા ડબલ ભાડુ વસુલવામાં આવી રહ્યું છે.

લોકોની ફરિયાદ છે કે સામાન્ય દિવસોમાં જ્યાં માત્ર 9 રૂપિયા ભાડુ થાય છે ત્યાં એસટીની ખાસ બસોમાં 20 રૂપિયા ભાડુ વસુલવામાં આવી રહ્યું છે.
સામાન્ય દિવસોમાં અંબાજી એસટી ડેપો દ્વારા 9 રૂપિયા ભાડુ 3કિમીનુ લેવાય છે ત્યારે ભાદરવી મેળામાં 20 રૂપિયા ભાડુ વસુલાતા લોકોમાં ભાડું કરતા ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે.
જણાવી દઈએ કે, કામાક્ષી મંદિરથી 51 શક્તિપીઠ સર્કલ સુધી ભક્તોને એસટીમાં ફ્રી લઈ જવાય છે તો ગબ્બર જવા 20 રૂપિયા ભાડુ વસુલાય છે.
પરિક્રમા મહોત્સવ વખતે સમગ્ર ગુજરાતમાંથી ભક્તોને વિનામૂલ્ય અંબાજી લાવવામાં આવતા હતા અને ફ્રીમાં જમાડવામાં આવતા હતા. જ્યારે ભાદરવી મેળા માટે અલગ નિયમને લઈને પણ ફરિયાદો ઉઠી છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ









Click it and Unblock the Notifications
