રાજ્યના પૂર્વ મંત્રીઓને વિશાળ સરકારી બંગલા ફાળવતાં કોંગ્રેસે કર્યો વિરોધ
રાજ્યના પૂર્વ મંત્રીઓને વિશાળ સરકારી બંગલા ફાળવતાં કોંગ્રેસે કર્યો વિરોધ
રાજ્યમાં વિજય રૂપાણી મંત્રીમંડળના તમામ સભ્યોની બાદબાકી કરી નવી મંત્રીમંડળ ગઠીત કરાયા બાદ તમામ નવા મંત્રીઓને મંત્રી નિવાસમાં બંગલાની ફાળવણી કરવામાં આવી હતી. જેના કારણે પૂર્વ કેબિનેટના તમામ સભ્યોને તેમના બંગલા ખાલી કરવાની નોબત આવી હતી. આ પૂર્વ મંત્રીઓને ધારાસભ્ય નિવાસમાં ફ્લેટની ફાળવણી કરવામાં આવી હતી. પરંતું, જાહોજલાલીમાં ટેવાયેલા આ મંત્રીઓને નાના ફ્લેટમાં અનુકૂળતા ન આવતાં તેમને રાજ્ય સરકારના વિશાળ બંગલા સરકારી ખર્ચે ફાળવવામાં આવ્યા છે.

રાજ્ય સરકારના પૂર્વ મંત્રીઓને ધારાસભ્ય કવાટર્સમાં ગમતું ન હોવાથી કે અન્ય જરૂરીયાતો સરકારી ખર્ચે વિશેષ સુવિધા સંતોષવા માટે નાગરીકોના પૈસાનો વ્યય થાય તે રીતે સરકારી વિશાળ બંગલાઓ નવી સરકારે નિર્ણય કરીને ફાળવી દેવાયા છે. ભાજપ સરકારના પૂર્વ મંત્રીઓ (૧) નીતિન પટેલ (૨) ભુપેન્દ્રસિંહ ચુડાસમા, (૩) સૌરભ પટેલ (૪) ગણપત વસાવા (૫) જયેશ રાદડિયા (૬) ઈશ્વર પરમાર (૭) પ્રદિપસિંહ જાડેજા (૮) પરસોત્તમ સોલંકી (૯) જયદ્રથ પરમાર (૧૦) ઈશ્વર પટેલ (૧૧) વાસણ આહીર (૧૨) વિભાવરી દવે (૧૩) રમણ પાટકર (૧૪) ધર્મેન્દ્રસિંહ જાડેજા (૧૫) કુંવરજી બાવળીયા વગેરેને ''ક'' અને ''ખ'' કક્ષાના બંગલાઓ (સરકારી આવાસો) ગાંધીનગરમાં પ્રવર્તમાન શૈક્ષણિક સત્ર સુધી અભ્યાસક્રમના બહાને ફાળવવામાં આવ્યા છે. આ બંગલાઓનું બજાર ભાડુ ૪૨,૦૦૦ નક્કી થયેલ હોવા છતાં જુદાં-જુદાં- હુકમોથી આર્થિક ભાડા(ઈકોનોમી રેટ)ના મામુલી ૪૮૦૦ના ભાડાના દરથી ફાળવી દેવામાં આવ્યા છે.
સરકારે ''દલા તરવાડીની જેમ રીંગણા લઉં બે ચાર, લે ને દશ-બાર''ની જેમ પ્રજાની તિજોરીના નાણાનો વ્યય કરીને પુર્વ મંત્રીઓને આલીશાન બંગલાની લહાણી કરાવી છે. ત્યારે, કોંગ્રેસ દ્વારા રાજ્યની જનતાની પરસેવાની કમાણીના નાણાં આ રીતે સરકારના પુર્વ મંત્રીઓની જાહોજલાલી પાછળ ખર્ચવા બદલ આકરી ટીકા કરી બંગલાઓ તાત્કાલિક ખાલી કરાવીને પ્રજાના ટેકસના નાણામાંથી બનાવવામાં આવેલ અને તેની જાળવણી માટે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે તે અટકાવવા આવા તમામ બંગલાઓ ખાલી કરાવીને સરકારી નાણાનો વ્યય તાત્કાલિક અટકાવવાની જવાબદારી રાજ્ય સરકારની બને છે, સાથોસાથ મંત્રીશ્રી કક્ષાની સીકયુરીટી ચાલુ રાખવામાં આવેલ છે તે પણ નીયમ મુજબ પરત લેવાય તે યોગ્ય કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પાસે માંગ કરી છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
