ગુજરાત બજેટ 2025 રજૂ થાય તે પહેલા કોંગ્રેસનો વિરોધ, જાણો મહત્વના નિવેદનો
Gujarat Budget 2025: ગુજરાત વિધાનસભામાં સતત બીજા દિવસે કોંગ્રેસના નેતાઓ વિરોધ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. બજેટ રજૂ થાય તે પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહ બહાર પ્રદર્શન કર્યું છે.
કોંગ્રેસ દ્વારા હીરા ઉદ્યોગ માટે વિશેષ પેકેજ જાહેર કરવાની માગ કરવામાં આવી છે. આ સાથે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેની માગણી તથા કોન્ટ્રાક્ટ આઉટ સોર્સ પ્રથા નાબૂદ કરવા પણ માગ કરવામાં આવી રહી છે.
કોંગ્રેસ નેતાના ધારાસભ્ય અનંત પટેલનું નિવેદન - કોંગ્રેસ નેતા અને વાંસદા ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું છે કે, કેન્દ્રીય બજેટમાંથી આદિવાસીઓને કોઈ લાભ આપવામાં આવ્યો નથી, તેથી ગુજરાતના બજેટમાં આદિવાસીને લાભ મળે તેવી આશા રાખવામાં આવી રહી છે.
અનંત પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોને બજેટમાં યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી આશા સાથે કનુભાઈ દેસાઈ કઈ રીતનું બજેટ લઈને આવે છે તે હવે જોવાનું રહ્યું છે.

કોંગ્રેસ નેતા ડૉ. કિરીટ પટેલનું નિવેદન - કોંગ્રેસ નેતા પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે બજેટ રજૂ થાય એ પહેલા જણાવ્યું છે કે, અમે આશા રાખીએ કે માત્ર આભાશી બજેટ નહીં હોય, આ બજેટથી લોકોની વૃદ્ધિ થાય તેવું હશે. ખેડૂતોને લાભ મળે એ રીતનું બજેટ હોવું જોઈએ.
કોંગ્રેસ નેતા ડૉ. કિરીટ પટેલ જણાવ્યું હતું કે, સરકારી કર્મચારીઓમાં આઉસોર્સિંગ અને કરાર આધારિત રાહત થાય તેમજ સરકારી કર્મચારીઓ માટે સારી જાહેરાત થાય તેવી આશા આ બજેટમાં રાખવામાં આવી રહી છે.
પાટણના ધારાસભ્યે જણાવ્યું કે, અધ્યાપક, વિદ્યા સહાયકની ખાલી જગ્યા ભરાય એવી જોગવાઈ પણ બજેટમાં હોવી જોઈએ. આ ઉપરાંત ગરીબો માટે જોગવાઇ થાય એવી આશા રાખવામાં આવી રહી. ગુજરાતના વેપારીઓ, સામાન્ય લોકોને ફાયદો થાય એવું બજેટ હોવું જોઈએ.
રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ વખતે ગુજરાતનું વધારા સાથેનું બજેટ રજૂ કરવામાં આવશે. ગુજરાતની આશાઓ અને અપેક્ષાઓ પર બજેટ ખરું ઉતરશે. દરેક ક્ષેત્રને આવરી લેતું બજેટ રજૂ કરવામાં આવશે. જેમાં દરેકની આશાઓને ધ્યાનમાં રાખવામાં આવી છે.
વિદેશમાં ગુજરાતીઓ પર થયેલ અન્યાય, અત્યાચાર અને અપમાન મુદ્દે સંપૂર્ણ મૌન ધારણ કરેલ ડબલ એન્જિન સરકાર વિરુદ્ધ વિધાનસભા પરિસર ખાતે વિરોધ પક્ષના નેતા શ્રી @AmitChavdaINC જી ની અધ્યક્ષતામાં ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો એ વિરોધ પ્રદર્શન કર્યું. pic.twitter.com/e2FcbWMtlz
— Gujarat Congress (@INCGujarat) February 19, 2025
-
હોર્મુઝની સામુદ્રધુની: યુદ્ધવિરામ છતાં શિપિંગ ક્ષેત્રે અનિશ્ચિતતાનો માહોલ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા






Click it and Unblock the Notifications
