રાહુલ ગાંધીજીએ ડાકોરમાં ધ્વજા ચડાવી કર્યા મોદી પર પ્રહાર
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ડાકોરમાં પ્રસિદ્ધ રણછોડજીના દર્શન કરીને જનસભાને સંબોધી. સાથે જ હોટલ પર ચાની ચુસ્કી પણ માણી. રાહુલ ગાંધીના ડાકોર મુલાકાત અંગે વધુ જાણો અહીં
ગુજરાત વિધાનસભાની બીજી તબક્કાની ચૂંટણીને હવે જ્યારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ પણ તેની તરફથી ગુજરાતમાં જીતવા માટેની તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આ માટે જ હાલ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે રવિવારે રાહુલ ગાંધીએ પ્રસિદ્ધ ડાકોર મંદિરની મુલાકાત લીધી હતી. અને ત્યાં તેમણે મંદિરમાં ધ્વજા ચઢાવી પૂજા કરી હતી. સાથે જ રાહુલ ગાંધીએ તેમના અધિકૃત ટ્વિટર પરથી ગુજરાતના પ્રથમ તબક્કાના મતદાન વખતે લોકોને તેમનો બહુમુલ્ય મત કોંગ્રેસને આપવા માટે આભાર વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે આજે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ડાકોરમાં દર્શન પછી શામળાજીમાં પણ દર્શન કરવાના છે. તે પછી દયોદર અને કલોલ ખાતે તે જનસભા યોજશે.

ઉલ્લેખનીય છે કે શનિવારે રાહુલ ગાંધીએ વડનગર ખાતે પણ જનસભા કરી હતી. જેમાં જીજ્ઞેશ મેવાણી પણ હાજર રહ્યા હતા. વધુમાં આ ડાકોર ખાતેની તેમની જનસભામાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોદી દેશના વડાપ્રધાન છે. તેમના માટે ખરાબ શબ્દોનો ઉપયોગ કર્યા વગર પ્રેમથી મીઠા બોલ બોલીને તેમને ભગાવો અહીં.
શ્રી રાહુલ ગાંધીજી એ ડાકોરમાં ધજા ચડાવી દર્શન કર્યા #NavsarjanWithCongress pic.twitter.com/m9nNeKeadS
— Gujarat Congress (@INCGujarat) December 10, 2017
સાથે જ નોટબંધી પર બોલતા રાહુલે કહ્યું કે નોટબંધીથી તમામ ચોરોના કાળા નાણાં સફેદ થઇ ગયા. વધુમાં રાહુલ ગાંધી કહ્યું કે હવે નરેન્દ્ર મોદીના ભાષણમાં ના તો ભષ્ટ્રાચારની વાત હોય છે, ના તો કોઇ રોજગારીની તે હવે 90 ટકા પોતાની જ વાતો કરે રાખે છે. સાથે જ ડાકોરની મુલાકાત બાદ રાહુલ ગાંધીએ એક સામાન્ય હોટલમાં જઇને ચાની પણ મજા માણી હતી. અને લોકો જોડે ફોટો પડાવ્યો હતો.
City Point hotel, Dakor made a great stop for tea on the Navsarjan Yatra, and the staff were extremely welcoming. #NavsarjanWithCongress pic.twitter.com/17gWDq3AqM
— Congress (@INCIndia) December 10, 2017
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
