પ્રદેશ પ્રભારી રાજીવ સાતવના પ્રયાસોથી નારાજ આગેવાનો રિઝાશે કે ખીજાશે?
દેશમાં લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કૉંગ્રેસમાં અસંતોષની આગ વધુ પ્રબળ બની રહી છે. પ્રદેશ કૉંગ્રેસના કેટલાક દિગ્ગજ નેતાઓ જ પક્ષમાં પોતાની અવગણનાથી નારાજ જોવા મળી રહ્યા છે.
દેશમાં લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કૉંગ્રેસમાં અસંતોષની આગ વધુ પ્રબળ બની રહી છે. પ્રદેશ કૉંગ્રેસના કેટલાક દિગ્ગજ નેતાઓ જ પક્ષમાં પોતાની અવગણનાથી નારાજ જોવા મળી રહ્યા છે. ત્યારે, કૉંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે હવે આ અંગે પક્ષના નારાજ આગેવાનોને મનાવવા પ્રયાસ હાથ ધર્યા છે. સિનિયર આગેવાનો સાથે વન ટુ વન બેઠકો હાથ ધરીને તેમને સાંભળ્યા હતા. આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ તેમણે તમામ પક્ષોમાં થોડી ઘણી નારાજગી હોય છે અને તેને પક્ષના મોવડીમંડળની દરમિયાનગીરીથી દુર પણ કરવામાં આવતી હોવાનો દાવો કર્યો હતો. કૉગ્રેસ હાઈકમાન્ડે પ્રદેશ પ્રભારીને જુથવાદ અને પક્ષના આંતરિક અસંતોષનો નિવેડો લાવવા સૂચના આપી છે.

રાજીવ સાતવે સંભાળ્યો મોરચો
કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને પુર્વ પ્રદેશ પ્રમુખ કૉંગ્રેસના સિનિયર આગેવાનોની અવગણના કરીને પોતાની મનમાની રીતે પાર્ટી ચલાવતાં હોવાનો કેટલાક આગેવાનો આક્ષેપ કરી રહ્યા છે. આ કારણે કૉંગ્રેસના 15 જેટલા આગેવાનો પુર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાના નિવાસ સ્થાને અગાઉ મળ્યા હતા. જોકે, સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે પક્ષનો આંતરિક નિવેડો ન આવે તો પ્રભારી પદ છોડવાની તૈયારી દર્શાવી હોવાનો દાવો પણ કર્યો છે. પરંતું, 2022 પછી જ ગુજરાત પ્રભારીનું પદ છોડીશ તેવો દાવો પણ કર્યો હતો.

પ્રદેશ પ્રભારીએ કરી નારાજ નેતાઓ સાથે બેઠક
ગુજરાત કોંગ્રેસમાં સિનિયર-જુનિયર નેતાઓ વચ્ચેનો આંતરિક ડખો ચરમસીમાએ પહોંચ્યો છે. કૉંગ્રેસના નેતાઓની જૂથબંધી અને આંતરિક વિખવાદથી હાઇકમાન્ડ પણ નારાજ છે. ત્યારે, કૉંગ્રેસ હાઇકમાન્ડે ગુજરાતમાં આ મામલાનો નિવેડો લાવવાની જવાબદારી પ્રભારી રાજીવ સાતવને સોપી છે. રાજીવ સાતવે વન ટુ વન બેઠક કરીને તમામ નારાજ નેતાઓને સાંભળ્યા હતા અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો વિશ્વાસ પણ આપ્યો હતો.

કૉંગ્રેસના સિનિયર આગેવાનો નારાજ
કૉંગ્રેસના કેટલાક સિનિયર આગેવાનોએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરતાં એવો સુર પુરાવ્યો હતો કે, પ્રદેશ પ્રમુખ સિનિયરોને ગણકારતાં નથી, મનઘડત નિર્ણયો લે છે, જસદણની ચૂંટણી હોય કે પછી કોઈ આંદોલનાત્મક કાર્યક્રમ હોય ત્યારે સિનિયરોની સલાહ લેવાતી નથી કે મિટિંગમાં તેમને બોલાવાતાં નથી. આ કારણે, કૉંગ્રેસને જસદણની ચૂંટણીમાં પરાજય પણ સહન કરવાનો વારો આવ્યો હતો. ત્યારે, હવે લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસનું હાઇકમાન્ડ સિનિયર નેતાઓને મનાવવામાં અને પક્ષમાં ચાલતી મનમાની નીતિ અટકાવવામાં કેટલું સફળ થાય છે. સિનિયર આગેવાનોની નારાજગી લોકસભાની ચૂંટણી પહેલાં દુર ન થાય તો પક્ષમાં નવાજુનીના પણ એંધાણ પણ વર્તાઇ રહ્યા છે
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ?









Click it and Unblock the Notifications
