ગુજરાત કોંગ્રેસે પછાતો માટે જાહેર કરી ભાવિ યોજનાઓ

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ આ પ્રસંગે જણાવ્યું કે ગરીબ લોકોનો એજન્ડા લઇને તમારી પાસે આવ્યા છીએ બધા વર્ગોનો વિકાસ થાય એ માટે આ મુદ્દા રજૂ કર્યા છે. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો આ મુદ્દાઓનો અમલ કરવામાં આવશે.
- એસટી, એસસી અને પછાત વર્ગો માટેની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવશે. ભવિષ્યમાં જગ્યાઓ માટે સમયબધ્ધ કાર્યક્રમ ગોઠવાશે.
- સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ કોલેજોમાં અનામતનો અમલ કરાશે.
- સરકારી છાત્રાલયોમાં ફીના ધોરણો સુધારવામાં આવશે .
- એસટી, એસસી, ઓબીસીના છાત્રાલયોને આધુનિક બનાવાશે, રિપેર કરાશે, નવા બનાવાશે.
- એસટીની વસતીમાં વિશેષ યોજના અપાશે.
- ગુજરાતમાં 54 ટકા વસતી ઓબીસીની છે. તેમાં મુક્ત અને વિચરતી જાતિઓની સ્થિતિ સુધારવા માટે કમિશનની રચના કરી તેનો અહેવાલ સ્વીકાર્યો હતો પણ અમલીકરણ બાકી તેનું અમલીકરણ કરાશે.
- વિમુક્તિજાતિ વિકાસ નિગમની રચના કરાશે.
- નટ બજાણિયા, મદારી, વણઝારા જાતિના લોકોને માટે વ્યવસાયલક્ષી યોજના બનાવાશે.
- ઓબીસીમાં પરંપરાગત વ્યવસાયો છે જેમ કે કંસારા, કડિયા, લુહાર, કુંભાર વગેરે માટે તેમના વ્યવસાયના ઉત્પાદનોમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી માર્કેટિંગ કરવા માટે ખાસ નિગમ ઉભું કરાશે. તેમને વીજળી અને ટેક્સમાં રાહત અપાશે.
- ક્રીમી લેયર સર્ટિફિકેટ માટેનું આવક ધોરણ ઊંચું લઇ જવાશે.
- પછાત વિકાસ નિગમની ગ્રાન્ટ બમણી કરાશે.
અનુસૂચિત જાતિ માટેની યોજના
- દલિત સહકારી મંડળીઓને પુર્જીવિત કરવા મદદ કરાશે.
- સરકારી કામગીરીઓ અને ખરીદીમાં દલિત સહકારી મંડળીઓને પ્રાધાન્ય અપાશે.
- વાલ્મિકી સમાજમાં માથે મેલું ઉપાડવાની પ્રથા શરમજનક છે. તે દૂર કરવા કાયદાકીય જોગવાઇ કરવા ઉપરાંત મેલું માથે નહીં ઉપાડવા જરૂરી માળખાકીય સુવિધા વિકસાવાશે.
- વાલ્મિકી સમાજના કામદારોને સીધો પગાર આપવાની વ્યવસ્થા કરાશે.
- દરેક તાલુકા મથકે ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન બનાવાશે.
- સામાન્ય અધિકારીતા ભવનની 16 યોજનાઓ ફરી અમલી બનાવાશે.
-
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Petrol Diesel Price: 2 એપ્રિલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: UP-દિલ્હી સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026: KKRએ જીત્યો ટોસ, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, જાણો ક્યારે લેવાશે પરિક્ષા? -
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના -
કેજરીવાલે પત્ર લખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવાનો સમય માંગ્યો, જાણો કેમ? -
Gold Rate Today: 2 એપ્રિલના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
KKR vs SRH: હૈદરાબાદની શાનદાર જીત, કોલકાતાને 65 રનથી હરાવ્યું -
Karmayogi Saptah: શું છે પીએમ મોદીનું 'કર્મયોગી' વિઝન? સરકારી કામકાજ માટે આપ્યો સેવાનો સર્વોચ્ચ મંત્ર










Click it and Unblock the Notifications
