બીફ ફેસ્ટ મામલે વડોદરા અને સુરતમાં કોંગ્રેસના પુતળાનું દહન
કેરળમાં થયેલ ગૌહત્યાના વિવાદના મામલે સુરત અને વડોદરામાં કોંગ્રેસના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું.
રળમાં થયેલ ગૌહત્યા તથા બીફ ફેસ્ટના વિરોધમા મંગળવારે વડોદરા અને રાજકોટ કોંગ્રેસનું પુતળું સળગવામાં આવ્યું હતું. વડોદરામાં બીફ ફેસ્ટના વિરોધમાં હિંદુ યુવા વાહિની સંગઠને કોંગ્રેસ કાર્યાલય પાસે પૂતળું સળગાવ્યું હતું. આ પછી કેટલાક અસામાજિક તત્વોએ કોંગ્રેસ કાર્યોલય પર પથ્થરમારો કરીને બારીના કાચ તોડી નાંખ્યા હતા. આ ઘટનાની જાણ થતાં શહેર કોંગ્રેસ અગ્રણીઓ અને પોલીસ કોંગ્રેસ કાર્યાલય પર ધસી ગઇ હતી.

મળતી માહિતી મુજબ અસામાજિક તત્વો હથિયાર સાથે વડોદરાના કોંગ્રેસ કાર્યોલય પર ધસી આવ્યા હતા અને પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારાના કારણે કોંગ્રેસ કાર્યલયના બારીના કાચ તૂટી ગયા હતા. ઘટનાની જાણ થતાં શહેરના કોંગ્રેસ પક્ષના અગ્રણીઓ તથા રાવપુરા પોલીસ કાર્યાલય પર પહોંચી હતી. પોલીસે કોંગ્રેસ અગ્રણીઓની ઘટના બાબતે પૂછપરછ કરી હતી. કોંગ્રેસ કાર્યોલય પર પથ્થરમારો થવાની ઘટનાથી રાજકીય મોરચે ખળભળાટ મચી ગયો હતો. બીજી બાજુ સુરત શહેરમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા ઉધનાના સોસીયો સર્કલ પાસે કોંગ્રેસના પુતળાનું દહન કરી કોંગ્રેસ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
