Covid Update : કોરોના સંક્રમણમાં ભયાનક ઉછાળો, જાણો 27 જુલાઇની કોરોના અપડેટ
દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના સંક્રમણ ફરી એકવાર વધવા લાગ્યું છે અને છેલ્લા 24 કલાકમાં 18313 લોકો સંક્રમિત થયા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન 57 લોકોના મોત થયા છે. કોરોનાના નવા કેસોમાં 23 ટકાનો ઉછાળો આવ્યો છે
દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના સંક્રમણ ફરી એકવાર વધવા લાગ્યું છે અને છેલ્લા 24 કલાકમાં 18313 લોકો સંક્રમિત થયા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન 57 લોકોના મોત થયા છે. કોરોનાના નવા કેસોમાં 23 ટકાનો ઉછાળો આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, મંગળવારના રોજ પૂરા 24 કલાકમાં 14830 લોકો સંક્રમિત થયા હતા. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 20,742 લોકો કોવિડ-19થી રિકવર થયા છે. આ પછી સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 1,45,026 થઈ ગઈ છે.

સક્રિય કેસોમાં કુલ કોરોના સંક્રમણના 0.35 ટકા
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, સક્રિય કેસોમાં કુલ કોરોના સંક્રમણના 0.35 ટકાનો સમાવેશ થાય છે, જ્યારે રાષ્ટ્રીય કોવિડરિકવરી રેટ 98.45 ટકા નોંધાયો હતો.

પોડિંચેરીમાં 24 કલાકમાં 99 નવા પોઝિટિવ કેસ નોંધાયા
કેન્દ્રશાસિત પ્રદેશ પોડિંચેરીમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાવાયરસ સંક્રમણના 99 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને એકંદરેઆંકડો 1,70,278 પર પહોંચી ગયો છે, એમ આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીએજણાવ્યું હતું.

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાતમાં રવિવારના રોજ કોરોના સંક્રમણના 889 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 826 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં 1 કોવિડ સંબંધિતમુત્યુ નોંધાયું છે.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 5675 થઇ
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,964 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,33,370 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા5675 થઇ છે. જેમાંથી 11 ની હાલત ગંભીર છે, જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર છે.

કુલ 11,43,02,028 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.67 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 2,96,278 કોરોના વેક્સિનના ડોઝઆપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 11,43,02,028 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
