Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જેલ સુરંગ કેસ: પોલીસની જેલકર્મીઓ પર પણ નજર

sabaramati-jail
ગાંધીનગર, 13 ફેબ્રુઆરી: અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના કેસમાં સાબરમતી જેલમાં બંધ કેદીઓ દ્રારા જેલમાંથી નાસી છૂટવાનો પ્રયત્ન કરવાની તપાસ કરી રહેલી પોલીસની નજર જેલકર્મીઓ પર પણ છે. પોલીસ કોયડો ઉકેલવામાં લાગી છે કે લોખંડનો સળિયો અને જેલનો નકશો બેરક કઇ રીતે આવ્યાં અને બે મહિના સુધી જેલની સુરંગ ખોદવાની કામ ચાલ્યું છતાં કોઇને ગંઘ પણ ન આવી.

આ કેસની તપાસ કરી રહેલી 'ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ' (ડીસીબી)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે 'બે મહિનાથી કોઇને ખબર ના પડી કે સુરંગ ખોદવાનું કામ ચાલી રહ્યું છે. સામરબતી જેલમાં અધિકારીઓ દ્રારા રાબેતા મુજબ કરવામાં આવતા પેટ્રોલિંગ અને વહિવટીતંત્રમાં કંઇક કચાસ રહી હશે જે અંગે અમે તપાસ કરી રહ્યાં છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ સિરિયલ બોમ્બ ધમાકાના કેસમાં સાબરમતી જેલમાં બંધ 14 કેદીઓએ જેલમાં નાસી છૂટવા માટે 18 ફૂટ લાંબી સુરંગ ખોદી હતી. સુરંગ હજુ લાંબી ખોદવાની હતી પરંતુ રવિવારે રાત્રે જેલ અધિકારીઓને તેમના કાવતરાની જાણ થઇ ગઇ.

અધિકારીઓનું કહેવું છે કે અને આ અંગે શોધ કરવા માટે રજિસ્ટરની તપાસ કરીશું કે સિરિયલ બોમ્બ ધમાકાના આરોપીઓને મળવા માટે કોણ-કોણ આવતું હતું. તેમને એ પણ કહ્યું હતું કે લોખંડનો સળિયો, ધારદાર વાસણો, ધારદાર એસ્બેસ્ટસ શીટ વગેરે કેદીઓના હાથમાં કેવી રીતે આવી.

અધિકારીઓએ કહ્યું હતું કે સિરિયલ બોમ્બ ધમાકાના 68 આરોપીઓમાંથી 14ને 'છોટા ચક્કર' બેરકમાં રાખવામાં આવ્યાં છે. જો કે બાકીના આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે. કડક સુરક્ષાવાળા વિસ્તારમાં સીસીટીવી કેમેરાનો ઉપયોગ ન કરવા અંગે તપાસ અધિકારીઓ આશ્વર્યમાં છે. ક્રાઇમ બ્રાંચ આરોપી સાથે પોતાની ઓફિસમાં પૂછપરછ કરશે જેના માટે તેમને સીઆરપીસીની કલમ 268 હટાવવી પડશે.

અધિકારીઓએ કહ્યું હતું કે 'અમારે સીઆરપીસીની કલમ 268 દૂર કરવી પડશે જેથી આરોપીને પોતાની ઓફિસમાં લાવીને પૂછપરછ કરી શકાય. આરોપીઓને વારાફરતી લાવી શકાય છે કારણ કે તેમને એકસાથે લાવવામાં ઘણી મુશ્કેલીઓ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બોમ્બ બ્લાસ્ટના આરોપીઓ બેરેકની દીવાલ અને જેલની મુખ્ય દીવાલ વચ્ચેના મોટા મેનહોલમાંથી સુધી પહોંચી જેલમાંથી ઉડન છૂ થઇ જવા ઇચ્છતા હતા. જો તેઓ આ સુરંગને ૮૦થી ૧૦૦ ફૂટ વધુ ખોદવામાં સફળ રહ્યા હોત તો તેઓ ચોક્કસપણે નાસી ભાગવામાં સફળ રહ્યા હોત.

ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ૧૯૭૬માં આ જ મેનહોલનો ઉપયોગ કરી ચાર કેદીઓએ નાસી છુટવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ ચોથા આરોપીએ ભાંડો ફોડી નાંખતા તેઓ પકડાઈ ગયા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X