Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Cyclone Biparjoy Update : ચક્રવાત બિપોરજોયમાં થયેલા નુકસાનની ભરપાયી કરશે સરકાર, ફાળવશે 783 કરોડ રૂપિયા

Cyclone Biparjoy Update : ગુજરાત સરકાર દ્વારા સોમવારના રોજ જણાવ્યું હતું કે, સરકાર ચક્રવાત બિપોરજોયના કારણે ખેડૂતોના પાકને નુકસાન, બાગાયતી ખેતીના વૃક્ષ અને માલ-ઢોરના નુકસાન માટે ભરપાયી કરશે. પ્રાથમિક સર્વેમાં સામે આવ્યું છે કે, રાજ્યમાં પાવર ઇન્ફ્રાસ્ટ્રકચરને અંદાજે 783 કરોડનું નુકસાન થયું છે.

ચક્રવાત બિપોરજોય બાદ ગુજરાતમાં ધીમે ધીમે જનજીવન પાટા પર આવી રહ્યું છે. આવા સમયે મે 2021 પછી, સરકારે ગયા અઠવાડિયે આવેલા બીજા વાવાઝોડાથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવાનું શરૂ કર્યું છે.

Cyclone Biparjoy Cyclone Biparjoy

ગાંધીનગરમાં કેબિનેટની બેઠક બાદ ગુજરાતના આરોગ્ય પ્રધાન અને સરકારના પ્રવક્તા હૃષિકેશ પટેલે જણાવ્યું હતું કે, નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે અસરગ્રસ્ત જિલ્લાઓમાં વિવિધ ટીમો મોકલવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, સર્વે રિપોર્ટ મળ્યા બાદ રાજ્ય સરકાર ખેડૂતો અને પશુપાલકોને નુકસાન માટે વળતર આપશે.

હૃષિકેશ પટેલે જણાવ્યું હતું કે, પ્રારંભિક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે, ચક્રવાત બિપોરજોયને કારણે ગુજરાતના વીજળી માળખાને આશરે રૂપિયા 783 કરોડનું નુકસાન થયું છે, જ્યારે 15 જૂનના રોજ દરિયાકાંઠે આવેલા ચક્રવાતને કારણે 6,486 ગામડાઓ વીજળી વિહોણા છે.

તેમણે માહિતી આપી હતી કે, 5,753 ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે અને બાકીના ગામોમાં વીજળી પુનઃસ્થાપિત કરવાનું કામ ચાલુ છે.

હૃષિકેશ પટેલે જણાવ્યું હતું કે, 1,320 પશુઓ અને 1,900 મરઘાં પક્ષીઓ ચક્રવાત સંબંધિત વિવિધ ઘટનાઓમાં મૃત્યુ પામ્યા છે, જેમાં વીજળી પડવા અને વૃક્ષો ધરાશાયી થવાનો સમાવેશ થાય છે. તેમણે માહિતી આપી હતી કે 1,129 પશુઓના મૃત્યુ માટે વળતર તરીકે રૂપિયા 1.62 કરોડની રકમનું વિતરણ કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય પાત્ર પશુધન માલિકોને વળતરની રકમ ટૂંક સમયમાં આપવામાં આવશે.

હૃષિકેશ પટેલે જણાવ્યું હતું કે, પ્રારંભિક મૂલ્યાંકન મુજબ, કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લામાં ચક્રવાત દરમિયાન 53,000 હેક્ટરમાં ફેલાયેલા 14,800 ફળ ધરાવતાં વૃક્ષો ભારે પવનને કારણે ધરાશાયી થયા હતા.

તેમણે અદ્યતન ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનિંગ અને લેન્ડફોલ પહેલા સંવેદનશીલ વિસ્તારોમાંથી લગભગ એક લાખ લોકોને સ્થળાંતર કરવા બદલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્ટાફનો આભાર માન્યો હતો અને ઉમેર્યું હતું કે, રાજ્યમાં ચક્રવાતને કારણે કોઈ માનવ જીવનનું નુકસાન થયું નથી.

ચક્રવાત બિપોરજોય બાદ ગુજરાતમાં ધીમે ધીમે જનજીવન પાટા પર આવી રહ્યું છે. ગાંધીનગરમાં કેબિનેટની બેઠક બાદ ગુજરાતના આરોગ્ય પ્રધાન અને સરકારના પ્રવક્તા હૃષિકેશ પટેલે જણાવ્યું હતું કે, નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે અસરગ્રસ્ત જિલ્લાઓમાં વિવિધ ટીમો મોકલવામાં આવી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X