ગુજરાતમાં વાવાઝોડુ 'તૌકતે' ટકરાયુ, બે કલાકમાં લેન્ડફૉલની પ્રક્રિયા થશે, 4 જિલ્લામાં ભારે વરસાદ પડશે
હવામાન વિભાગે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે ગુજરાતમાં પોરબંદર અને મહુવા વચ્ચે વાવાઝોડુ તૌકતે ટકરાયુ છે.
અમદાવાદઃ હવામાન વિભાગે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે ગુજરાતમાં પોરબંદર અને મહુવા વચ્ચે વાવાઝોડુ તૌકતે ટકરાયુ છે. આગામી બે કલાક ખૂબ મહત્વના છે. 4 જિલ્લામાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. 185 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આવતા બે કલાકમાં લેન્ડફૉસલની પ્રક્રિયા થશે. સીએમ રૂપાણીએ જણાવ્યુ કે આગામી બે કલાક અતિ મહત્વના છે.

દરિયાઈ વિસ્તારોમાં ઘાતક પવન ફૂંકાવાનુ શરૂ થઈ ગયુ છે. સોમનાથ, વેરાવળ, ઉના અને કોડીનારમાં 80થી 130 કિમીની ઝડપે પવન ફૂંકાયો. ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં વાવાઝોડાની વધુ અસર થશે. દ્વારકા, પોરબંદર, જામનગર અને રાજકોટમાં 100 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે. મોરબીમાં જોરદાર પવન સાથે વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં સર્વત્ર વરસાદ શરૂ થઈ ગયો છે. ખેડા જિલ્લામાં પણ વાવાઝોડાની અસર દેખાઈ રહી છે. વાવાઝોડાની અસરને પગલે ઠેર ઠેર વીજળી ડુલ થઈ ગઈ છે.
રાજ્યના સીએમ રૂપાણી કંટ્રોલ રૂમમાં સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમણે જણાવ્યુ કે આગામી બે કલાક મહત્વના છે. રાતે 1 વાગ્યા સુધી વાવાઝોડાની અસર ચાલુ રહેશે. ત્યારબાદ વાવાઝોડાની અસર ઓછી થઈ શકે છે. વાવાઝોડાની અસરના પગલે કોવિડ હોસ્પિટલોમાં પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. વાવાઝોડાની અસરના કારણે આગામી 3 દિવસ સુધી નાઈટ કર્ફ્યુ લંબાવવામાં આવ્યો છે. ત્યારબાદ ફરીથી સમીક્ષા કરવામાં આવશે.
તોક-તે વાવાઝોડાના આગમન પૂર્વે જ ઉના શહેરમાં સાંજે પાંચ વાગ્યા બાદ ફૂંકાયેલ જોરદાર પવનના પગલે 200 જેટલા વૃક્ષો ધરાશાયી થયા હોવાનો ઉના પાલીકાના ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ જોશીએ દાવો કર્યો છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં ધરાશાયી થયેલ વૃક્ષોને હટાવવા માટે પાલીકાની ટીમ અને NDRF ની ટીમના સભ્યો કામે લાગ્યા છે. તો બીજી તરફ ઉના શહેરમાં ભારે પવન ફૂંકાતા લાઈટ ગુલ થઈ જતા સમગ્ર શહેરમાં અંધારપટ છવાઈ ગયો છે.
#WATCH | Earlier visuals from Veraval - Somnath in Gujarat as the sea turned rough in wake of #CycloneTauktae.
— ANI (@ANI) May 17, 2021
Extremely severe cyclonic storm Tauktae lies close to the Gujarat coast. The landfall process has started and will continue during next 2 hours, says IMD. pic.twitter.com/7KojZcXS27
Gujarat CM Vijay Rupani reached the State Control Room in Gandhinagar to get the latest situation of #CycloneTauktae and review the situation of the state including the coastal districts, by video conference with the collectors. pic.twitter.com/3vSXgdlKsY
— ANI (@ANI) May 17, 2021












Click it and Unblock the Notifications
