જીગ્નેશ મેવાનીએ કહ્યું મારા નંબર પર આવ્યો ફોન, ગોલી માર દૂંગા
ગુજરાતની વડગામ વિધાનસભા સીટના વિધાયક અને દલિત નેતા જીગ્નેશ મેવાનીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.
ગુજરાતની વડગામ વિધાનસભા સીટના વિધાયક અને દલિત નેતા જીગ્નેશ મેવાનીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જેના વિશે જીગ્નેશ મેવાનીએ જાતે ટવિટ કરીને જાણકારી આપી છે. બુધવારે જીગ્નેશ મેવાની ઘ્વારા ટવિટ કરવામાં આવ્યું કે મારો નંબર 9724379940 પર 7255932433 નંબરથી ફોન આવ્યો, જેમાં મને ગોળી મારવાની ધમકી આપવામાં આવી. હાલમાં મારો આ નંબર મારા સહયોગી કૌશિક પરમાર પાસે છે. તેમને મને તેના વિશે જાણકારી આપી. તેમને જણાવ્યું કે કોઈ રનવીર મિશ્રાનો ફોન આવ્યો હતો કહ્યું કે તુમ જીગ્નેશ મેવાની હો તો તુમ્હે ગોલી માર દૂંગા.
જીગ્નેશ મેવાની ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ પહેલા પણ તેના ઉપર હુમલો કરવામાં આવ્યો છે ત્યારપછી તેને પોતાના માટે વાય સુરક્ષા માટે માંગ કરી હતી. પરંતુ તેનું હજુ સુધી કઈ પણ થયું નથી.

વડગામમાં ફરિયાદ નોંધાવી
મળતી ખબર અનુસાર કૌશિક પરમાર ઘ્વારા ધમકી મામલે બનાસકાંઠા જિલ્લાના વડગામમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. જીગ્નેશ મેવાનીએ જણાવ્યું કે ગુજરાતના લગભગ 15 જિલ્લાઓના દલિત સમૂહો ઘ્વારા તેમના માટે વાય સુરક્ષા માટે માંગ કરવામાં આવી હતી.

પહેલા પણ ધમકીઓ મળી ચુકી છે
જીગ્નેશ મેવાનીએ ટવિટ કરીને જણાવ્યું કે ઉના મામલે અને ગુજરાત ઈલેક્શન દરમિયાન તેમના પર ઘણીવાર હુમલા થયા હતા. ટ્વિટ્ટર અને ફેસબૂક પર સતત તેમને જાનથી મારી નાખવાની ધમકી મળતી રહે છે. પરંતુ કોઈ પણ પગલાં નથી લેવામાં આવી રહ્યા. આપણે જણાવી દઈએ કે દલિત ઉત્પીડન મામલે જીગ્નેશ મેવાની સતત સરકાર પર હુમલો કરી રહ્યા છે.

ગુજરાતના વડગામના વિધાયક છે જીગ્નેશ મેવાની
જીગ્નેશ મેવાનીએ દલિતોના મુદ્દે ગુજરાતમાં ઈલેક્શન લડ્યું હતું અને તેઓ જીત્યા પણ હતા. જીગ્નેશ મેવાનીએ ગુજરાત ઈલેક્શન દરમિયાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી સામે ખુલ્લો મોરચો ખોલ્યો હતો.












Click it and Unblock the Notifications
