નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર નર્મદા નદી પર ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ હવે વાહનચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
આ વિશાળ બ્રિજના નિર્માણથી ભરૂચ અને અંકલેશ્વર વચ્ચેનો આશરે 30 કિમીનો લાંબો ફેરો ઘટશે, જેનાથી મુસાફરોની 90 મિનિટ બચશે.

કુલ 2.2 કિલોમીટરની લંબાઈ ધરાવતા આ પુલના કારણે હવે દિલ્હી અને મુંબઈ વચ્ચેનું અંતર કાપવામાં 8 થી 10 કલાકનો સમય ઓછો લાગશે.
આ આધુનિક બ્રિજ બનાવવા માટે 32 હજાર મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ થયો છે, જે તેને અત્યંત મજબૂત અને ટકાઉ માળખું પૂરું પાડે છે.
એન્જિનિયરિંગની દ્રષ્ટિએ આ બ્રિજ ખાસ છે, કારણ કે તેને પૂર અને ભૂકંપ જેવા કુદરતી સંકટોનો સામનો કરી શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે.
નર્મદા નદી પર બનેલો આ દેશનો પહેલો એવો બ્રિજ છે જે 8 લેન ધરાવે છે અને આધુનિક એક્સ્ટ્રાડોઝ ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
