Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સોમનાથ મંદિર આસપાસ ગેરકાયદે દબાણો વિરૂદ્ધ ડિમોલિશન ઝુંબેશ હાથ ધરાઈ

સોમનાથ મંદિર પાછળ આશરે 17 વીઘા જમીન પર ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવા મેગા ડિમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.

સોમનાથ મંદિર નજીક સોમનાથ ટ્રસ્ટ અને રાજ્ય સરકારની જમીન પર અતિક્રમણ અંગે વર્ષોથી અસંખ્ય ફરિયાદો દ્વારા આ અભિયાન ચલાવવામાં આવ્યું છે.

Somnath temple

આ ઓપરેશનમાં 21 ઘરો અને 153 ઝૂંપડાઓને લક્ષ્યાંકિત કરવામાં આવ્યા, જેને મેગા ડ્રાઈવ દરમિયાન તોડી પાડવામાં આવ્યા અને કુલ 17 વીઘા સરકારી જમીન ખુલ્લી કરાઈ છે.

મામલતદાર અને લગભગ 100 મહેસૂલ અધિકારીઓની હાજરીમાં વહેલી સવારે આ ડ્રાઈવ શરૂ કરાઈ હતી અને શાંતિપૂર્ણ રીતે અમલ થાય તે માટે પોલીસની મોટી હાજરી રખાઈ હતી.

કલેક્ટર હરજી વઢવાણિયાએ જણાવ્યું કે, મહેસૂલ વિભાગ દ્વારા જારી કરાયેલા પરિપત્રને પગલે અનધિકૃત રહેણાંકના અતિક્રમણ દૂર કરવામાં આવી રહ્યા છે અને વિસ્તારને ફેન્સિંગ દ્વારા સુરક્ષિત કરવામાં આવશે.

સમગ્ર પ્રક્રિયા સમજાવવા માટે 25 જાન્યુઆરીએ અતિક્રમણ કરનારાઓ સાથે બેઠક યોજવામાં આવી હતી અને વહીવટીતંત્રે તેમના સામાનના સ્થળાંતર માટે ટ્રેક્ટર અને મજૂરોની વ્યવસ્થા કરી હતી. ફૂડ પેકેટની પણ જોગવાઈ કરવામાં આવી હતી.

અહીં બે નાયબ પોલીસ અધિક્ષક અને સાત પોલીસ ઈન્સ્પેક્ટર, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસ જીઆરડી, બે એસઆરપી કંપનીઓ અને 500 પોલીસ કર્મચારીઓ સાથે રખાયા હતા. જેથી કોઈ વિવાદ ન થાય.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X