For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલિપ સાંઘાણીને આચારસંહિતાનો ભંગ નહીં કરવા ECનો આદેશ

|
Google Oneindia Gujarati News

dilip-sanghani
ગાંધીનગર, 19 ઑક્ટોબર : આજે અમરેલીના ધારાસભ્ય અને રાજ્યના કૃષિ મંત્રી દિલિપ સંઘાણીને ચૂંટણીની આચારસંહિતાના ઉલ્લંઘન બદલ અને ભવિષ્યમાં ઉલ્લંઘન નહીં કરવા માટે કેન્દ્રીય ચૂંટણીપંચે આદેશ આપ્યો છે.

કેન્દ્રીય ચૂંટણીપંચે તેના આદેશમાં જણાવ્યું છે કે "રાજ્ય ચૂંટણીપંચે 9 ઑક્ટોબર, 2012ના રોજ પાઠવેલી કારણદર્શક નોટિસના 12 ઑક્ટોબર, 20012ના રોજ આપેલા જવાબમાં દિલીપ સંઘાણીએ કોઇ કાર્યક્રમમાં હાજરી આપી નહીં હોવાનું જણાવ્યું હતું. પરંતુ પ્રાપ્ત પુરાવાના આધારે તેમણે ચૂંટણીની આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હોવાનું સ્પષ્ટ થાય છે. આ કારણે ચૂંટણી પંચ આદેશ આપે છે કે ભવિષ્યમાં ઉલ્લંઘન કરવું નહીં. જો ઉલ્લંઘન કરવામાં આવશે તો ચૂંટણીપંચ શિક્ષાત્મક પગલાં લેશે."

ઉલ્લેખનીય છે કે 3 ઑક્ટોબરે ચૂંટણીની જાહેરાત સાથે જ રાજ્યભરમાં ચૂંટણીની આચારસંહિતાનો તત્કાલિક અસરથી અમલ થયો હતો. આમ છતાં, દિલિપ સંઘાણીએ 4 ઑક્ટોબરે અમરેલીમાં એક રોડનું ખાત મૂહૂર્ત કર્યું હતું. જેના કારણે આચારસંહિતાનો ભંગ થયો હતો.

English summary
EC ordered Dilip Sanghani to not violate COC in future.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X