બેંક ફ્રોડ મામલે અહમદ પટેલના જમાઈની ઈડીએ પૂછપરછ કરી
મની લોન્ડરિંગ કેસની તપાસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ મંગળવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના જમાઇ ઇરફાન સિદ્દીકીનું નિવેદન લીધું છે.
ગુજરાતની ફાર્માસ્યુટિકલ કંપની સ્ટર્લિંગ બાયોટેક સામે બેંક ફ્રોડ અને મની લોન્ડરિંગ કેસની તપાસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ મંગળવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના જમાઇ ઇરફાન સિદ્દીકીનું નિવેદન લીધું છે. અધિકારીઓએ કહ્યું કે સિદ્દીકીનું નિવેદન પ્રિવેન્શન મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ દાખલ કરાયું હતું.
અગાઉ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કચેરીમાં કંપનીના માલિક અને પ્રમોટર સંદેશરા બંધુઓ વાયરના જોડાણ સંદર્ભે તેમની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ 9 કલાક ચાલી હતી. સંદેશરા ગ્રૂપના માલિક નીતિન અને ચેતન સંદેશરા અહેમદ પટેલની નજીકના છે. આરોપ છે કે જે ભાઈઓએ અહેમદ પટેલના કહેવાથી દિલ્હીના વસંત વિહારમાં મકાન ખરીદ્યું હતું અને ત્યારબાદ અહમદ પટેલના જમાઈ ઇરફાન સિદ્દીકીને રીનોવેશન કરીને તે મકાન રહેવા માટે આપી દીધું હતું.
આરોપ છે કે તે ઘર બેંકના કૌભાંડના નાણાંમાંથી ખરીદવામાં આવ્યું હતું. નોંધનીય છે કે સ્ટર્લિંગ બાયોટેકના પ્રમોટર્સ નીતિન સંદેશરા, ચેતન સંદેશરા અને દિપ્તી સંદેશરા પર બેંકના 8,100 કરોડના છેતરપિંડીના આક્ષેપો છે. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ આ બધા ફરાર છે. સંદેશરા પરિવાર સામે ભ્રષ્ટાચાર અને કરચોરીના કેસોમાં પણ સીબીઆઈ અને આવકવેરા વિભાગની તપાસ ચાલી રહી છે.