Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઊર્જા મંત્રીએ DGVCL પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કર્યુ!

વલસાડ જિલ્લાના ધરાસણા ગામ ખાતે ઉર્જા મંત્રી કનુ દેસાઈના હસ્તે ૨ કરોડના ખર્ચે તૈયાર થયેલ DGVCL ધરાસણા પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરાયું હતું.

વલસાડ જિલ્લાના ધરાસણા ગામ ખાતે ઉર્જા મંત્રી કનુ દેસાઈના હસ્તે ૨ કરોડના ખર્ચે તૈયાર થયેલ DGVCL ધરાસણા પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરાયું હતું. 400 કિમી વિસ્તારને આવરી લેતી DGVCLની આ પેટા વિભાગીય કચેરીના લોકાર્પણ પ્રસંગે સાંસદ કે.સી.પટેલ અને વલસાડ ધારાસભ્ય ભરત પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

dgvcl

ધરાસણા ખાતે વિભાગીય કચેરીના લોકાર્પણ કાર્યક્રમમાં મંત્રી કનુ દેસાઈએ કહ્યુ હતું કે, સમગ્ર દેશમાં કુલ ૬૭ જેટલી વીજ કંપનીઓ કાર્યરત છે. તેના તાજેતરમાં જ થયેલા એક સર્વેમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડે પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. આ કચેરી દ્વારા આસપાસના ગામોને લાભ થશે તેમજ વીજ સમસ્યાઓનો ઉકેલ આવશે. ગુજરાતમાં હાલમાં સોલાર રૂફટોપ દ્વારા રોજની ૨૦૦૦ મેગાવોટ અને પવનઊર્જા મારફતે રોજની ૩૦૦૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની ખૂબ સારી કામગીરી કરી રહી છે. તેથી દરેકે સાથે મળી ને દરેક સમસ્યાનો ઉકેલ લાવવો. કાંઠા વિસ્તારમાં ખારી હવાને કારણે વીજ કેબલોને નુકશાન થવાથી વીજ સમસ્યાઓ ઉદભવે છે, તેના ઉકેલ સ્વરૂપે હવે જુદા પ્રકારના કેબલ લગાવી આ સમસ્યાનો પણ ઉકેલ લાવવામાં આવશે.

લોકાર્પણ પ્રસંગે વલસાડ અને ડાંગના સાંસદ કે.સી.પટેલે ઉદબોધનમાં કહ્યું હતું કે, આ કચેરીની રચનાથી આંતલીયા અને ડુંગરી સબ સ્ટેશનથી છૂટા પડેલા આસપાસના વિસ્તારના અનેક ગામોને લાભ મળશે. કાંઠા વિસ્તારના ગામોના લોકોને પાવરકટ અને લોડ સેરિંગની સમસ્યા રહેતી હતી તે હવે દૂર થશે.

ધરાસણા પેટા વિભાગીય કચેરીના ૬૬ કે.વી.ના કુલ બે ઉંટડી અને ડુંગરી સબસ્ટેશન કાર્યરત છે જ્યારે ધોલાઈ સબસ્ટેશન ડિસેમ્બર સુધીમાં કાર્યરત થઈ જશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X