દહેગામમાં ફેક્ટરી માલિકની હત્યા કરી મજૂર 3.5 લાખની લૂંટ કરી ફરાર
ગાંધીનગર જીલ્લાના દહેગામમાં આવેલી જીઆઇડીસીમાં ફેક્ટરી માલિકની કરપીણ હત્યા કરી મજૂર ફરાર થઇ ગયો છે. મજુરે હત્યા બાદ આશરે રૂ. 3.5 લાખ રોકડ રકમની લૂંટ કરી પરિવાર સાથે ફરાર થઇ ગયો હતો. ઘટનાની વિગતો અનુસાર દહેગામ જીઆઇડીસીમાં
ગાંધીનગર જીલ્લાના દહેગામમાં આવેલી જીઆઇડીસીમાં ફેક્ટરી માલિકની કરપીણ હત્યા કરી મજૂર ફરાર થઇ ગયો છે. મજુરે હત્યા બાદ આશરે રૂ. 3.5 લાખ રોકડ રકમની લૂંટ કરી પરિવાર સાથે ફરાર થઇ ગયો હતો. ઘટનાની વિગતો અનુસાર દહેગામ જીઆઇડીસીમાં શ્રી હરી પાઇપ ફેક્ટરી આવેલી છે.
Recommended Video

અમદાવાદ : દહેગામમાં ફેક્ટરી માલિકની કરપીણ હત્યા કરી મજૂર આશરે રૂ. 3.5 લાખની લૂંટ કરી ફરાર

ઉલ્લેખનિય છેકે આ કંપનીમાં થોડા દિવસ પહેલા જ આ મજુરને પરિવાર સાથે નોકરીએ રાખવામાં આવ્યો હતો. મજુરનું નામ અખિલેશ બિહારી હોવાનું જાણવા મળ્યું છે. આ મજુરે કંપનીના માલિકના માથા તથા પીઠના ભાગે પાઇપના ફટકા મારી નિર્મમ હત્યા કરી હતી. હત્યા બાદ મજુર માલિકનો મોબાઇલ તથા પર્સ લઇને ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.
સીસીટીવી ફુટેજમાં જોઇ શકાય છેકે મજુર લોખંડના પાઇપ વડે માલિકને ફટકા મારી રહ્યો છે. ચોરી અને નિર્મમ હત્યાના આ કેસમાં સીસીટીવી ફુટેજના આધારે દહેગામ પોલીસે તપાસ શરૂ કરૂ છે.












Click it and Unblock the Notifications
