સરહદની રક્ષા કરનારા BSF જવાનોને નકલી ઘી મોકલી આપ્યું

નકલી માલ સપ્લાઈ કરવાની ઘટનાઓ વિશે તમે સમાચાર વાંચતા જ હશો. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી વેચવાથી, કોઈના જીવ જોખમ કેવી રીતે મુક્યા છે,

નકલી માલ સપ્લાઈ કરવાની ઘટનાઓ વિશે તમે સમાચાર વાંચતા જ હશો. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી વેચવાથી, કોઈના જીવ જોખમ કેવી રીતે મુક્યા છે, ગુજરાતમાં તેનું એક મોટું ઉદાહરણ જોવા મળ્યું છે. આવા એક કેસમાં, જ્યારે દેશની સુરક્ષામાં તૈનાત જવાનોના સ્વાસ્થ્ય સાથે જ છેડછાડ કરવામાં આવી છે. જ્યાંથી જવાનો માટે ઘી ખરીદવામાં આવ્યું હતું, તે વેપારીઓએ તેમાં ભેળસેળ કરી હતી. એટલે કે નકલી ઘી કેમ્પમાં મોકલવામાં આવ્યું હતું.

170 કિલો નકલી ઘી બીએસએફ જવાનોને મોકલવામાં આવ્યું

170 કિલો નકલી ઘી બીએસએફ જવાનોને મોકલવામાં આવ્યું

આ કેસ સામે આવ્યા પછી પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે કે શું સરહદ પરના જવાનોને નકલી માલથી દૂર રાખી શકાય નહિ? શું ગુનેગારોને એવી સજા મળશે કે જેનાથી બીજા ફ્રોડ-વેપારીઓ પણ સબક લઈ શકે? પત્રકાર અનુસાર, ગાંધીનગર શહેર નજીક બોર્ડર સિક્યુરિટી ફોર્સના કેમ્પમાં જવાનોને 170 કિલોગ્રામ નકલી ઘીના પાઉચ સપ્લાઈ કરવામાં આવ્યાં હતાં. આ વિશે અમુલ ડેરીમાં ફરિયાદ કરવામાં આવી હતી, ત્યારે જાણવા મળ્યું કે વેપારીએ ભેળસેળ કરી હતી. કેમ્પના સહાયક કમાન્ડન્ટે અમદાવાદના કાલુપુરના શેરાવલી વેપારી સામે ચિલોડા પોલીસ સ્ટેશનમાં નકલી ઘી મોકલવા બદલ ફરિયાદ દાખલ કરી હતી.

કડક નિયમોનું પાલન કરવામાં સરકાર નિષ્ફળ

કડક નિયમોનું પાલન કરવામાં સરકાર નિષ્ફળ

ચિલોડા પોલીસ સ્ટેશનના પોલીસનું કહેવું છે કે આ કેસમાં તપાસ થઈ રહી છે. નકલી ઘીનો ધંધો કેવી રીતે ચાલે છે અને તેને કોણ ચલાવે છે તેની શોધ કરવામાં આવશે. જો કે, જાણવું જરૂરી છે કે ગુજરાત સરકારે બનાવટી માલ અને ભેળસેળના કિસ્સામાં કડક નિયંત્રણ લાદવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને વિનંતી કરી હતી, પરંતુ કર્મચારીઓના અભાવને લીધે, સમગ્ર રાજ્યમાં વિભાગની તપાસ કરી શકાતી નથી. તે શરમજનક છે કે દેશના સૈનિકો જે લોકોની સુરક્ષા કરવાનું કામ કરે છે તેમને પણ બનાવટી ઘી પહોંચાડવામાં આવે છે.

ઘી ખરીદવા માટે 63750 રૂપિયા ચૂકવ્યા હતા

ઘી ખરીદવા માટે 63750 રૂપિયા ચૂકવ્યા હતા

બીએસએફ કેમ્પમાં, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ મહેન્દ્રસિંહ માલારામ મલિયાના નેતૃત્વ હેઠળ કરિયાનાનો સ્ટોર લાગેલો છે. જવાનોના કરિયાના માટે એક સમિતિ બનાવવામાં આવી હતી, જે જવાનો માટે ચીજવસ્તુઓ અને સામાન લાવે છે. આ સમિતિએ તાજેતરમાં કાલુપુરના માતા શેરાવાલી ટ્રેડર્સ પાસેથી અમુલ બ્રાન્ડનું 170 કિલો ઘીની ખરીદી પર 63750 રૂપિયા ચૂકવ્યા હતા. ખરીદી પછી, જ્યારે જવાનોમાં ઘીનું વેચાણ શરૂ કર્યું, ત્યારે એવું જાણવા મળ્યું કે ઘી અમૂલ બ્રાન્ડનું નથી નકલી છે.

આ રીતે તપાસ કરી

આ રીતે તપાસ કરી

કેમ્પના વરિષ્ઠ અધિકારીઓને માહિતી આપ્યા બાદ, ઘીના નમૂનાઓ તપાસ માટે ગાંધીનગર અમુલ ડેરીને મોકલવામાં આવ્યા હતા, જ્યાં એવું જાણવા મળ્યું હતું કે અમુલ બ્રાન્ડ જેવું દેખાતું આ ઘી નકલી છે. આ ઘીનું વેચાણ અમુલના પેકેટમાં કરવામાં આવતું હતું. કેમ્પના સ્ટોરમાં ઘીના 49 પાઉચ ઘી હતું અને બાકીના 19 પાઉચ કેમ્પમાં વેચવામાં આવ્યા હતા. તેને પાછા લાવીને કાલુપુરના વેપારી સામે ફરિયાદ નોંધાવી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X