Farmer Protest : ખેડૂતોની દિલ્હી ચલો કૂચ બે દિવસ સ્થગિત, 23 ફેબ્રુઆરીએ આગળની રણનીતિ નક્કી કરાશે

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની ખેડૂત વિરોધી નીતિઓથી ત્રસ્ત ખેડૂતોએ દિલ્હી કૂચનું એલાન કર્યુ હતુ. હવે ખેડૂતોએ આ એલાનને બે દિવસ મૌકુફ રાખ્યુ છે.

વિવિધ માંગણીઓને લઈને કેન્દ્ર સરકાર સામે વિરોધ કરી રહેલા ખેડૂતો દ્વારા દિલ્હી ચલો વિરોધ માર્ચ બે દિવસ માટે મોકૂફ રાખવામાં આવી છે.

Farmer Protest

પંજાબ કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના મુખ્ય ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે બુધવારે સાંજે આ જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે, શુક્રવારે સાંજે વધુ રણનીતિ નક્કી કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, અમે ખનૌરીમાં બનેલી ઘટના અંગે ચર્ચા કરીશું. દિલ્હી તરફની અમારી કૂચ બે દિવસની યાત્રા કરશે. અમે સમગ્ર પરિસ્થિતિ પછીથી સ્પષ્ટ કરીશું. કેન્દ્ર દ્વારા તેમને બીજા રાઉન્ડની ચર્ચા માટે અપીલ કર્યા બાદ ખેડૂતો દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે, સમગ્ર દેશમાં ખેડૂતો છે. નીતિ બનાવતી વખતે સમગ્ર દેશના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખવું જરૂરી છે. આને ધ્યાનમાં રાખીને અમે આગામી દિવસોમાં તેમની ચિંતાઓને દૂર કરવા માટે કામ કરીશું.

કેન્દ્ર સાથે ચોથા રાઉન્ડની વાટાઘાટો નિષ્ફળ જતાં ખેડૂત સંગઠનોએ બુધવારે દિલ્હી ચલો વિરોધ કૂચ ફરી શરૂ કરી હતી. ત્રણ કેન્દ્રીય પ્રધાનોની બનેલી સરકારી પેનલે ખેડૂતો સાથે ચર્તા કર્યા પછી પાંચ વર્ષ માટે સરકારી એજન્સીઓ દ્વારા MSP પર કઠોળ, મકાઈ અને કપાસના પાકની ખરીદીનો પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ ખેડૂત આગેવાનોએ આ પ્રસ્તાવને ફગાવી દીધો છે.

પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની કાયદેસર ગેરંટી અને કૃષિ લોન માફી સહિતની તેમની માંગણીઓ પર આંદોલનમાં વિરામ દરમિયાન હજારો ખેડૂતો બે સરહદો પર પડાવ નાખેલો રાખશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X