રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદતા, ખેડૂતો ખુશ
રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. તેના પગલે મોરબી જિલ્લાના ત્રણ ખરીદ કેન્દ્રોમાંથી અત્યાર સુધીમાં 90 કરોડ રૂપિયાની બે લાખ ક્વિન્ટલ મગફળી રાજ્ય સરકારના ગુજકોટ દ્વારા ખરીદશે
રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. તેના પગલે મોરબી જિલ્લાના ત્રણ ખરીદ કેન્દ્રોમાંથી અત્યાર સુધીમાં 90 કરોડ રૂપિયાની બે લાખ ક્વિન્ટલ મગફળી રાજ્ય સરકારના ગુજકોટ એકમ દ્વારા ખરીદવામાં આવી છે. ખેડૂત ભગવાનજી ભાઈએ જણાવ્યું હતું કે મગફળીનું વધારે ઉત્પાદન થતા ખેડૂતોને માત્ર પ્રતિ મણ ભાવ માત્ર 500થી 600 રૂપિયા મળતા હતા, પરંતુ સરકાર દ્વારા 900 રૂપિયાના ભાવે ખરીદી થતા અમને સંતોષ છે. તો માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવિયાએ જણાવ્યું હતું કે 90 કરોડની મગફળી સરકારે ખરીદી તેમાંથી 55 કરોડ જેટલી રકમ ખેડૂતોના ખાતામાં ઓનલાઇન ચૂકવાઈ છે. વળી ખેડૂતો ઓનલાઇન બુકિંગ કરાવીને આવતા હોવાથી તેમને લાંબી કતારોમાંથી પણ છુટકારો મળે છે.

રાજ્યભરમાં મગફળીનું મબલખ ઉત્પાદન થતા મગફળીના ભાવ ગગડ્યા હતા. પરંતુ સરકારે ટેકાના ભાવે ખરીદી કરતા ખેડૂતોમાં રાહત અને ખુશી વ્યાપી છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલાથી મગફળીના ટેકાના ભાવો પર વિવાદ શરૂ થઇ ગયો હતો. અને સરકારે તેની બાહેધરી પણ આપી હતી. જો કે તે પછી મગફળીના ભાવો અંગે ટેકાના ભાવ રજૂ થતા ખેડૂતો ખુશ થયા હતા. ઉલ્લેખનીય છે કે આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતોએ ભાજપને જોકારો આપ્યો હતો. આ પહેલા તુવેદના ભાવો લઇને પણ સરકારે ટેકો જાહેર કર્યો હતો. આમ સરકાર ગમે તે ભાગો ખેડૂતોને પોતાના તરફ રાખવા મથામણ કરી રહી છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
