અંબાજીમાં પ્રવેશવા ભક્તો પદયાત્રીઓ માટે મફત બસ સેવા
પાલનપુર, 19 ઓગસ્ટ : આ વર્ષે યાત્રાધામ અંબાજીમાં 13 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો ભરાઈ રહ્યો છે. આ ભાદરવી મેળામાં ભાગ લેવા માટે હજારો માઈ ભક્તો પદયાત્રા કરીને અંબાજી પહોંચે છે. આગામી ભાદરવી મહામેળો યોજાશે તેમાં ભક્તો તેમજ પદયાત્રીઓ માટે મંદિર સંકુલ સુધી પહોંચવા માટે મફત બસ સેવા પૂરી પાડવામાં આવશે.
આ બાબતમાં ગૃહ રાજ્યપ્રધાનની ઉપસ્થિતિમાં અંબાજી ખાતે પૂનમિયા સંઘની મીટિંગ યોજાઈ હતી. જેમાં 900 જેટલા પદયાત્રી સંઘના આગેવાનો હાજર રહ્યા હતા. જિલ્લા કલેક્ટર જે જી હિંગરાજિયાએ જણાવ્યું હતું કે "આ પ્રસંગને પ્રેરણાદાયી બનાવવાનો અમારો હેતુ છે. જેમાં પદયાત્રી સંઘોને સ્વયં શિસ્ત જાળવવા અને વહીવટીતંત્રને સહકાર આપવા તાકીદ કરવામાં આવી છે."

જિલ્લા પોલીસ વડા અશોકકુમાર યાદવે જણાવ્યું હતું કે "મેળા દરમિયાન સરકારી કર્મચારી કે અધિકારીઓ જેઓ ફરજ ઉપર નહીં હોય છતાં સરકારી વાહન લઇને ફરતા હશે તેમના પર કડક કાર્યવાહી હાથ ધરાશે. તેમને વિવિધ ધર્મશાળા, ગેસ્ટહાઉસના રૂમો ઉપર કબજો જમાવવા નહીં દેવાય. તેમજ તેમના પરિવારજનોને સરકારી વાહનમાં ફરવા દેવાતા રોકવામાં આવશે."
પદયાત્રા સંઘ તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા પદયાત્રીઓને અનુરોધ કરવામાં આવ્યો છે કે માતાના દર્શને આવતાં તમામ યાત્રિક કે પદયાત્રીએ ઘરેથી નીકળતાં પહેલાં એક છોડ વાવીને જ યાત્રા માટે પ્રસ્થાન કરવું.
બેઠકમાં લેવાયેલા નિર્ણયો
- માતાજીની આસ્થાના પ્રતીક સમી ધજા માપસર લાવવી
- ધજા ચઢાવ્યા બાદ પરત લઇ જવી
- સેવા કેમ્પ નજીક રસ્તા ઉપર બમ્પર બનાવવા નહીં
- રસ્તાથી સેવા કેમ્પ પાંચથી 10 ફુટ દૂર રાખવા
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
