સોમવારે ગડકરી સુરત અને રમણસિંઘ રાજકોટમાં સભા ગજવશે

આ અંગે ભાજપાના પ્રદેશ પ્રવક્તા આઈ કે જાડેજા અને મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભાજપાના ઉમેદવારોના ચૂંટણી પ્રચારાર્થે ભાજપાના રાષ્ટ્રીય નેતાઓએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં અનેક સ્થાનો પર જાહેરસભાઓને સંબોધીને ભાજપાના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. ભાજપાના રાષ્ટ્રીય નેતાઓએ પ્રથમ તબક્કાની બેઠકો પર ઝંઝાવાતી પ્રચાર કરી કમળલહેર ઉભી કરવા જનતા જનાર્દનને આહ્વાન કર્યું હતું.
ભાજપાના પ્રવક્તાઓએ 26 નવેમ્બરના રોજ યોજાનાર પ્રચાર અભિયાનની વિગતો આપતા જણાવ્યું હતું કે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરી સુરતના ઉધના વિસ્તારમાં 6.00 કલાકે અને લિંબાયત વિસ્તારમાં 8.00 કલાકે સભાને સંબોધન કરશે. ભાજપાના છત્તીસગઢ સરકારના મુખ્યમંત્રી ડૉ રમણસિંહ રાજકોટ મહાનગરમાં 6.00 કલાકે રાજકોટ પૂર્વ અને 7.30 કલાકે રાજકોટ પશ્ચિમ વિધાનસભા મત- વિસ્તારમાં સભાને સંબોધન કરશે.
ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વિજય ગોયલ અમદાવાદ જીલ્લાના વિરમગામ ખાતે 4.00 કલાકે, સુરેન્દ્રનગર જીલ્લાના દસાડા (પાટડી) ખાતે 5.00 કલાકે અને ધ્રાંગધ્રામાં બપોરે 2.00 કલાકે સભાને સંબોધન કરશે.
ભાજપાના મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષા સ્મૃતિ ઈરાની ભાવનગર જીલ્લાના ગઢડામાં 6.00 કલાકે અને બોટાદમાં 8.00 કલાકે સભાને સંબોધન કરશે. ભાજપાના રાષ્ટ્રીય નેતા ફગ્ગનસિંહ કુલસ્તે નવસારી જીલ્લાના વાંસદા, તાપી જીલ્લાના વ્યારા અને સુરત જીલ્લાના માંગરોળમાં એમ ત્રણ સ્થાનો પર સભાને સંબોધન કરશે.
ભાજપના રાષ્ટ્રીય મંત્રી શ્યામ જાજુ રાજકોટ જીલ્લાના ગોંડલ ખાતે, ઓમપ્રકાશ ધનકડ રાજકોટ જીલ્લાના ધોરાજી, જુનાગઢ જીલ્લાના જુનાગઢ (પલસવા) ખાતે, જુઆલ ઓરમ નર્મદા જીલ્લાના નાંદોદ, ડેડીયાપાડામાં અને હુકમસિંહ નારાયણ સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ ખાતે સાંજે 4.00 કલાકે અને અમદાવાદ જીલ્લાના સાણંદમાં બપોરે 2.00 કલાકે સભાઓને સંબોધશે.
તેઓએ અંતમાં જણાવ્યું છે કે 26 નવેમ્બરના રોજ ભાજપાના સાંસદ મનસુખભાઈ વસાવા, રાજેન્દ્રસિંહ રાણા, રાજયસભાના સાસંદ શંકરભાઈ વેગડ, કાનજીભાઈ પટેલ, પૂર્વ સાંસદ માનસિંહ પટેલ, ભાજપાના ઉપાધ્યક્ષ કૌશિકભાઈ પટેલ સહિતના નેતાઓ રાજયના વિવિધ વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર સભાઓમાં ઉપસ્થિત રહી સંબોધન કરશે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
