અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત દેશના પ્રતિષ્ઠિત ગગનયાન મિશનના ચાર ગગનયાત્રીઓ પૈકીના એક એવા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ લીધી હતી. આ મુલાકાત ગાંધીનગર ખાતે નહીં પણ એક ખાસ કાર્યક્રમ દરમિયાન મહેસાણામાં થઈ હતી.
ભારતીય વાયુસેનાના ગૌરવવંતા અધિકારી અને ભારતના પ્રથમ માનવ અવકાશ મિશન ગગનયાન માટે પસંદ કરાયેલા આ અવકાશયાત્રી શુક્લા ઉત્તર ગુજરાતમાં આયોજિત એક મહત્વના કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા.

ગ્રુપ કેપ્ટન સુભાંશુ શુક્લા મહેસાણા જિલ્લાના ખેરવા ખાતે આવેલી ગણપત યુનિવર્સિટીના પરિસરમાં આયોજિત પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના પ્રથમ દિવસે સહભાગી થવા માટે પધાર્યા હતા. આ પ્રસંગે જ તેમની અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રત્યક્ષ મુલાકાત થઈ હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવા ગગનયાત્રી ગ્રુપ કેપ્ટન સુભાંશુ શુક્લા સાથે સન્માનપૂર્વક વાતચીત કરી હતી. તેમણે શુક્લાને તેમની આગામી ગગન યાત્રા (સ્પેસ મિશન) ની સફળતા માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા અને દેશ માટે ગૌરવપૂર્ણ આ સિદ્ધિ બદલ શુભેચ્છાઓ આપી હતી.
જણાવી દઈએ કે, શુભાંશુ શુક્લા ભારતીય વાયુસેનાના એક પ્રતિષ્ઠિત ગ્રુપ કેપ્ટન અને ટેસ્ટ પાયલટ છે. તેઓ ISRO (ઇસરો) ના ગગનયાત્રી (અવકાશયાત્રી) છે.
તેઓ ભારતના પ્રથમ માનવ અવકાશ ઉડાન મિશન ગગનયાન માટે પસંદ કરાયેલા ચાર અવકાશયાત્રીઓ પૈકીના એક છે. તેઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) ની મુલાકાત લેનારા પ્રથમ ISRO અવકાશયાત્રી બન્યા છે. તેમણે Axiom Mission 4 (Ax-4) ના ભાગરૂપે આ યાત્રા કરી હતી. રાકેશ શર્મા (1984) પછી તેઓ અવકાશમાં જનારા બીજા ભારતીય બન્યા છે.












Click it and Unblock the Notifications
