Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Gambhira bridge collapse : ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે વિધાનસભામાં હંગામો, સરકારે 148 પુલ ભારે વાહનો બંધ કર્યા

Gambhira bridge collapse : હાલમાં જ બનેલી ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો પડઘો ગુજરાત વિધાનસભામાં પડ્યો છે. આ દુર્ઘટનામાં થયેલા મૃત્યુ અને ત્યારબાદ સરકારે લીધેલા પગલાં અંગે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં સરકારે સત્તાવાર માહિતી આપી.

સરકારે ગૃહમાં સ્વીકાર્યું કે આ દુર્ઘટનામાં કુલ 22 લોકોનાં મૃત્યુ થયા હતા. આ ઘટનાને ગંભીરતાથી લઈને બેદરકારી દાખવનાર ચાર અધિકારીઓને તાત્કાલિક અસરથી ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા છે.

Gambhira bridge collapse

ગંભીરા બ્રિજની ઘટના બાદ રાજ્ય સરકારે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે રાજ્યભરના તમામ પુલોની તાત્કાલિક ચકાસણી કરવાનો આદેશ આપ્યો હતો. માર્ગ અને મકાન (R&B) વિભાગ હેઠળ આવતા કુલ 1054 મોટા પુલ (મેજર બ્રિજ), 5475 નાના પુલ (માઇનોર બ્રિજ) અને 239 સીડી સ્ટ્રક્ચર (CD Structure) નું ફરીથી નિરીક્ષણ કરવામાં આવ્યું.

આ સઘન નિરીક્ષણના પરિણામો ચોંકાવનારા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે રાજ્યના 148 પુલો ભારે વાહનોની અવરજવર માટે અસુરક્ષિત છે અને તેમને તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી. આ ઉપરાંત 18 પુલોની સ્થિતિ એટલી ગંભીર હતી કે તેમને તમામ પ્રકારના વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X