હિંમતનગર ખાતે ગરીબ કલ્યાણ અને સેવા સુશાસન કાર્યક્રમ યોજાયો
હિંમતનગર ખાતે ગરીબ કલ્યાણ અને સેવા સુશાસન કાર્યક્રમ યોજાયો
કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના ૮ વર્ષ પૂર્ણ થતા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ગરીબ કલ્યાણ અને સેવા સુશાસનનો કાર્યક્રમ નાગરીક પુરવઠા રાજ્ય મંત્રી ગજેંન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં ટાઉન હોલ હિંમતનગરના ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના ૮ વર્ષ પૂર્ણ થતા સરકારની ૧૩ ફ્લેગશીપ યોજનાઓના અમલીકરણ વિશે માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે અન્ન અને નાગરીક પુરવઠા રાજ્ય મંત્રી ગજેંન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સુસાશનના ૮ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે સુસાશન સપ્તાહની સમગ્ર દેશભરમાં ઉજવણી થઇ રહી છે, ત્યારે વડાપ્રધાનની વિકાસયાત્રા થકી દેશના છેવાડાના માનવીને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ મળી શક્યો છે. વડાપ્રધાને દેશના તમામ વર્ગના લોકોની પ્રાથમિક સુવિધાઓને પ્રધાન્ય આપીને વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. આજે દેશના કરોડો લોકોને વિવિધ યોજનાઓના લાભ આપીને તેમના જીવન ધોરણને ઊંચુ લાવવાના સખત પ્રયત્નો કર્યા છે.તો આજના આ સુશાસનની ઉજવણીના પ્રસંગે આપણે સૌના સાથ સૌના વિકાસ અને સૌના વિશ્વાસ થકી ભારતમાતાને સમૃધ્ધીના શિખરે લઇ જવા માટે અનુરોધ કર્યો હતો.
સાંસદ દિપસિંહ રાઠોડે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે આપણા વડાપ્રધાને દરેક પરિસ્થિતિમાં દેશહિતના નિર્ણયો લઇને ભારતને સર્વોપરી બનાવવા હર હંમેશ પ્રયત્નશીલ રહ્યા છે. જેના પરીણામ સ્વરૂપ આજે સમગ્ર વિશ્વ ભારતને આવકારી રહ્યુ છે. સરકાર સમાજના ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને વિવિધ યોજનાઓ થકી તેમના જીવનધોરણમાં સુધારો આવે તે માટે પ્રયત્નો કરી રહી છે. તેમણે જણાવ્યુ કે કિશાન સન્માન નિધિ યોજના થકી દેશના ૧૧ કરોડ જેટલા ખેડૂતોને ખેતી કામ માટે સીધી સહાય આપવામાં આવી છે. દેશના વડાપ્રધાને દેશના દરેક નાગરીકના તંદુરસ્તીની ચિંતા કરી આયુષ્યમાન ભારત અને સ્વચ્છ ભારત મિશન જેવી વિવિધ યોજનાઓ અમલમાં મુકી છે. આજે જનધન યોજના થકી દેશમાં ૧૦ કરોડ થી વધુ ખાતા ખોલવામાં આવ્યા છે. જેના થકી સામાન્ય માનવીનો આર્થિક વ્યવહાર સરળ રીતે ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, જેવી વિવિધ યોજનાઓ થકી દેશના માનવીને સીધો લાભ આપવામાં આવી રહ્યો છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
