રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પાઠવી ઉત્તરાયણની શુભેચ્છાઓ
Makar sankranti 2024: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સૌ ગુજરાતી પરિવારજનોને ઉત્તરાયણ અને મકર સંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી છે. ઉત્તરાયણ - પતંગપર્વ આનંદ અને ઉલ્લાસનું પર્વ છે.
સૌ પોતપોતાના પરિવાર અને સ્નેહીજનો સાથે પતંગ ઉડાડશે. પતંગોત્સવની ઉજવણી ખૂબ જ સલામતી અને સાવધાનીપૂર્વક કરવાની તાકીદ કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, પક્ષીઓ અને અબોલ પશુઓના જીવ ન જોખમાય એ જોવાની જવાબદારી પણ આપણી છે. ઉત્તરાયણનું પર્વ કરુણા અને સંવેદનાનું પર્વ બની રહે એ પણ જરૂરી છે.

સૂર્યદેવની કૃપા સૌના પર સદાય વરસે એવી અભ્યર્થના વ્યક્ત કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્ર સૌ પોતપોતાના આભમાં, પોતપોતાના ક્ષેત્રમાં પતંગ જેમ ગગનચૂંબી પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવી છે.












Click it and Unblock the Notifications
