For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેશુભાઇ પટેલે હરેન પંડ્યા કેસની ફરીથી તપાસની માંગણી કરી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

keshubhai-patel
અમદાવાદ, 26 માર્ચ: કેશુભાઇ પટેલના નેતૃત્વવાળી ગુજરાત પરિવર્તન પાર્ટીએ રાજ્યના પુર્વ મંત્રી હરેન પંડ્યા હત્યા કેસની સીબીઆઇ દ્રારા ફરીથી તપાસ કરવામાં આવે તેવી માંગણી કરતાં કહ્યું હતું કે સાચા હત્યારાઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે.

હરેન પંડ્યાની હત્યાની 10મી વરસીના અવસરે તેમને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ કેશુભાઇ પટેલે કહ્યું હતું કે 'સીબીઆઇએ હરેને પંડ્યાની હત્યાની ફરીથી તપાસ કરવી જોઇએ. રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી રહી ચુકેલા હરેન પંડ્યાની વિધવા પત્ની જાગૃતિ પંડ્યાએ પણ આ કેસની સીબીઆઇ દ્રારા ફરીથી તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી હતી.

જાગૃતિ પંડ્યાએ કહ્યું હતું કે મે પહેલાં પણ આ કહ્યું છે અને આજે પણ ફરીથી કહી રહી છું કે સીબીઆઇએ ફરીથી તપાસ કરવી જોઇએ અને સાચા હત્યારાઓને પકડવા જોઇએ. આ કેસમાં ગુનેગાર સાબિત થયું નથી. તેમને કહ્યું હતું કે જો રાજ્ય સરકાર અમારી સાથે છે તો પછી તે અમારી માંગણીને આગળ વધારશે.

English summary
Keshubhai Patel for reinvetigation in Haren Padya Murder Case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X