વિદ્યાર્થીઓ માટે ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર શરૂ કરશે GSHSEB બોર્ડ
GSHSEB Board : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) 8 ફેબ્રુઆરીના રોજ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને તેમના વાલીઓ સાથે કાઉન્સેલિંગ સેવાઓ પ્રદાન કરવા માટે એક ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર શરૂ કરશે.
મનોવૈજ્ઞાનિકો અને શૈક્ષણિક નિષ્ણાતો પરીક્ષાના છેલ્લા દિવસ સુધી ટોલ-ફ્રી નંબર 1800-233-5500 દ્વારા 24/7 સુલભ રહેશે. HSC અને એસએસસીની પરીક્ષાઓ 11 માર્ચથી શરૂ થવાની છે, અને 26 માર્ચના રોજ પૂરી થવાની છે.

આ અગાઉ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે જાન્યુઆરીમાં સારથી નામની સમર્પિત હેલ્પલાઇન શરૂ કરી હતી.
નિષ્ણાતો અને મનોવૈજ્ઞાનિકોની મદદ લેવા માટે વિદ્યાર્થીઓ કોઈપણ સમયે 99099 22648 પર WhatsApp દ્વારા સારથી હેલ્પલાઈનનો સંપર્ક કરી શકે છે.












Click it and Unblock the Notifications
