ગુજરાતઃ સુરેન્દ્રનગરમાં ટ્રક અને કાર વચ્ચે ભીષણ અકસ્માત, 7 લોકોના દર્દનાક મોત
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રક અને કાર વચ્ચેની ભીષણ ટક્કરમાં સાત લોકોના દર્દનાક મોત થઈ ગયા છે.
નવી દિલ્લીઃ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રક અને કાર વચ્ચેની ભીષણ ટક્કરમાં સાત લોકોના દર્દનાક મોત થઈ ગયા છે. જિલ્લાના ડેપ્યુટી એસપી દોશીએ જણાવ્યુ કે આ અકસ્માત પાટડીમાં થયો છે જ્યાં ટ્રક અને કાર સામસામે અથડાતા સાત લોકોના મોત થઈ ગયા છે. દૂર્ઘટના બાદ કારમાં આગ લાગી ગઈ છે અને અંદર બેઠેલા મુસાફરો જીવતા બળી ગયા છે. દૂર્ઘટના એટલી ભીષણ હતી કે કારમાં આગ લાગ્યા બાદ અંદર બેઠેલા પુરુષ અને મહિલાઓને ઓળખવા મુશ્કેલ હતા.
મીડિયા રિપોર્ટમાંથી મળેલી માહિતી મુજબ પાટણ જિલ્લાના વરહી તાલુકાના કોઈદા ગામમાં રહેતો એક પરિવાર ચોટીલા મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યાંથી ઘરે પાછા આવતી વખતે તેમની કાર ભીષણ અકસ્માતનો શિકાર બની ગઈ. અકસ્માત એટલો ભીષણ હતો કે ટક્કર બાદ કારમાં આગ લાગી ગઈ જેના કારણે અંદર બેઠેલા મુસાફરોને બહાર નીકળવાનો મોકો ન મળ્યો અને તે જીવતા ભૂંજાઈ ગયા. માનવામાં આવી રહ્યુ છે કે મૃતકોમાં બે બાળકો પણ શામેલ હતા. ઘટનાની માહિતી મળતા જ ઘટના સ્થળે પોલિસ પહોંચી. પોલિસના જણાવ્યા મુજબ કારમાં ગેસ કિટ હતી જેના કારણે આગ લાગવાની સંભાવના વધી ગઈ.
Seven people killed in collission between a truck and a car in Patdi, says HP Doshi, Deputy SP, Surendranagar district, Gujarat pic.twitter.com/OvAdzbrmjS
— ANI (@ANI) November 21, 2020
મુંબઈમાં કૉમેડિયન ભારતી સિંહના ઘરે NCBએ પાડી રેડ