Gujarat Assembly Election 2022 : AAP એ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને ક્યાંથી ટીકીટ મળી?
આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 માટે ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી છે. તેણે આ વખતે રાજુ કરપડા અને પીયૂષ કુમાર સહિત 9 નામ જાહેર કર્યા છે.
ગાંધીનગર : આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 માટે ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી છે. તેણે આ વખતે રાજુ કરપડા અને પીયૂષ કુમાર સહિત 9 નામ જાહેર કર્યા છે. આ મહિનાની શરૂઆતમાં આમ આદમી પાર્ટીએ 2 ઓગસ્ટે તેના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી. ત્યારબાદ પાર્ટી દ્વારા 10 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ તમામ ઉમેદવારો વિવિધ સમાજના જાણીતા ચહેરા છે.

આમ આદમી પાર્ટીના ઉમેદવારોની બીજી યાદી
ઉમેદવારોની યાદી જાહેર થયાના થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા હતા. પંજાબની ચૂંટણી દરમિયાન અહીં આપેલા ઘણા વચનોનો તેમણે પુનરોચ્ચાર કર્યો હતો. કેજરીવાલે કહ્યું હતું કે, સામાન્ય માણસ મોંઘવારીથી પરેશાન છે અને જેની આવક ઓછી છે તેમની માટે અમારી સરકાર અહીં ઘણી યોજનાઓ શરૂ કરશે. કેજરીવાલ વારંવાર વચન આપી રહ્યા છે કે તેઓ અહીં પણ મફત વીજળી અને પાણી આપશે. અત્યાર સુધીમાં તેમણે ગુજરાતમાં 6 ગેરંટી આપી છે.
Aam Aadmi Party (AAP) releases the second list of nine candidates for the Gujarat Assembly elections to be held this year. https://t.co/KxFGqnFj1e pic.twitter.com/EDxcHX16z1
— ANI (@ANI) August 18, 2022
ભાજપ અહીં અઢી દાયકાથી સત્તામાં છે
જણાવી દઈએ કે ગુજરાતમાં કુલ 182 વિધાનસભા સીટો છે. જેમાંથી 100થી વધુ બેઠકો પર ભાજપનો કબજો છે. બાકીની બેઠકો કોંગ્રેસ, એનસીપી અને અપક્ષ ઉમેદવારોની છે. હવે આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહેલા કેજરીવાલ ઇચ્છે છે કે તેઓ ગુજરાતના સૌરાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રિત કરે, જે ગુજરાતના અન્ય વિકસિત વિસ્તારો કરતાં ઓછા વિકસિત છે. રાજ્યની 182 વિધાનસભા બેઠકોમાંથી લગભગ 50 આ પ્રદેશમાંથી આવે છે.
Aam Aadmi Party (AAP) releases the first list of ten candidates for the Gujarat Assembly elections to be held this year. pic.twitter.com/LJ5Qkxk8Lh
— ANI (@ANI) August 2, 2022
કેજરીવાલને ગુજરાતમાં ઉમ્મીદ છે
કેજરીવાલને લાગે છે કે તેઓ આ વખતની વિધાનસભા ચૂંટણીમાં અહીં સત્તારૂઢ ભાજપને સીધી ટક્કર આપશે. જ્યારે પણ તેઓ ગુજરાતમાં આવ્યા છે ત્યારે તેમને સાંભળવા માટે ભીડ જામે છે. આ ઉપરાંત કોંગ્રેસ-ભાજપથી નારાજ નેતાઓ પોતપોતાની પાર્ટી છોડી રહ્યા છે. આ જ કારણ છે કે કેજરીવાલે હવે ગુજરાતને પ્રાથમિકતા આપી છે અને તેઓ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે થોડા થોડા દિવસે આવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
