Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Gujarat Budget 2023 Live: નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કર્યુ કુલ 3.01 લાખ કરોડનુ બજેટ

આજે ગુજરાત સરકારનુ 2023-24 માટેનુ બજેટ રજૂ થશે. ડિસેમ્બર 2022ની વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત પછી ભાજપ સરકારનુ આ પ્રથમ બજેટ છે.

Gujarat Budget 2023 Live: 15મી ગુજરાત વિધાનસભાનુ બજેટ સત્ર કાલે(ગુરુવાર)થી શરુ થયુ. જે 29મી માર્ચ સુધી ચાલશે. આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ નાણાકીય વર્ષ 2023-24 માટે રાજ્ય સરકારનુ બજેટ રજૂ કરશે. ડિસેમ્બર 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પ્રચંડ જીત મેળવીને સત્તામાં આવ્યા પછી રાજ્યનુ આ પ્રથમ બજેટ હશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય બજેટ રજૂ થયા પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ હતુ કે રાજ્યનુ બજેટ પણ કેન્દ્રીય બજેટમાંથી પ્રેરણા લઈને બનશે. અહીં જોતા રહો ગુજરાતના બજેટની પળેપળની લાઈવ અપડેટ.

Kanubhai desai

Feb 24, 2023, 12:48 pm IST

પાણી પુરવઠા વિભાગ માટે 6 હજાર કરોડની જોગવાઇ

પાણી પુરવઠા વિભાગ માટે 6 હજાર કરોડની જોગવાઇ કરવામાં આવી છે. નલ સે જલ યોજના અંતર્ગત 2602 કરોડની જોગવાઇ, આદિજાતિ વિસ્તારમાં 3052 ગામોને આવરી લેતી અંદાજિત કિંમત 4009 કરોડની 64 યોજનાના કામો હાલ પ્રગતિ હેઠળ છે.
Feb 24, 2023, 12:41 pm IST

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 15,182 કરોડની જોગવાઈ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 15,182 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણની સેવાઓ માટે 9263 કરોડની જોગવાઇ, આરોગ્ય સેવાઓ અને બિન સંચારી રોગોના અટકાયત અને નિયંત્રણ માટે નેશનલ હેલ્થ મિશન હેઠળ 1745 કરોડની જોગવાઈ.
Feb 24, 2023, 12:38 pm IST

તબીબી સેવાઓ માટે બજેટમાં કુલ 1278 કરોડ

તબીબી સેવાઓ માટે બજેટમાં કુલ 1278 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન યોજના માટે 270 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
Feb 24, 2023, 12:36 pm IST

અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે 2165 કરોડની જોગવાઈ

71 લાખ રેશનકાર્ડ ધારક કુટુંબોને અન્ન વિતરણ માટે 617 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉજ્વલા યોજના હેઠળ દર વર્ષે 2 ગેસ સિલિન્ડર વિના મૂલ્ય રીફીલિંગ કરવા 500 કરોડની જોગવાઈ, NFSA કુટુંબોને તુવેર દાળ રાહત દરે આપવા 277 કરોડ, જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ખાતરનુ વિતરણ કરવા 128 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
Feb 24, 2023, 12:24 pm IST

આદિજાતિના શૈક્ષણિક ઉત્કર્ષ માટે જોગવાઈ

આદર્શ નિવાસી શાળાઓ, આશ્રમશાળાઓ અને એકલવ્ય મોડેલ રેસીડેન્‍સીયલ સ્કૂલો મળી કુલ 838 જેટલી શાળાઓના અંદાજીત 1.5 લાખ વિદ્યાર્થીઓને સહાય માટે 667 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
Feb 24, 2023, 12:20 pm IST

આરોગ્ય વિષયક સેવાઓ માટે 24 કરોડ રુપિયા

નવજાત શિશુઓને જરૂરી તમામ આરોગ્ય વિષયક સેવાઓ માટે 24 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે. એમ્બ્યુલન્સની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. 198 નવી એમ્બ્યુલન્સ માટે 55 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
Feb 24, 2023, 12:18 pm IST

વિજ્ઞાન અને પ્રદ્યોગિકી વિભાગ માટે 2193 કરોડ

વિજ્ઞાન અને પ્રદ્યોગિકી વિભાગ માટે 2193 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સેમી કંડક્ટર પૉલિસી હેઠળ 524 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઈલેક્ટ્રોનિક પોલિસી હેઠળ 125 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આઈટી પૉલિસી હેઠળ રોજગારીનુ સર્જન કરવા માટે 70 કરોડ ફાળવવામાં આવ્યા છે.
Feb 24, 2023, 12:15 pm IST

નર્મદા મુખ્ય કેનાલની જાળવણી માટે 178 કરોડ

નર્મદા મુખ્ય કેનાલની જાળવણી માટે 178 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના વોટર શેડ ડેવલોપમેન્ટ માટે 220 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
Feb 24, 2023, 12:14 pm IST

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ માટે રૂ.568 કરોડની જોગવાઈ

નાણામંત્રીએ જણાવ્યું કે, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ માટે રૂ.568 કરોડની જોગવાઈ કરાઈ છે. રમત ગમત ક્ષેત્રે રૂ.320 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
Feb 24, 2023, 12:08 pm IST

મેડિકલ કોલેજમાં શિક્ષણ અને આરોગ્ય માટે 3997 કરોડની જોગવાઈ

મેડિકલ કોલેજમાં શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ માટે 3997 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સરકારી મેડિકલ કોલેજો અને સંલગ્ન શૈક્ષણિક હોસ્પિટલોમાં સુવિધા માટે 355 કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે.
Feb 24, 2023, 12:05 pm IST

માર્ગ મકાન વિભાગ માટે 20,642 કરોડની જોગવાઈ

બજેટમા માર્ગ મકાન વિભાગ માટે 20,642 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી સડક યોજનામાં 2808 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
Feb 24, 2023, 11:59 am IST

પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ માટે 10743 કરોડની જોગવાઈ

પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ માટે 10743 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શહેરી વિકાસ માટે 19685 કરોડની જોગવાઈ કરવામાં આવી છે
Feb 24, 2023, 11:56 am IST

શિક્ષણ વિભાગ માટે 43,651 કરોડની જોગવાઈ

શિક્ષણ વિભાગ માટે 43,651 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શાળાઓની માળખાકીય સુવિધાઓ માટે 3109 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
Feb 24, 2023, 11:55 am IST

પૂરક પોષણ યોજના અંતર્ગત 3 થી 6 વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તથા બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરુ પાડવા માટે 1452 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
Feb 24, 2023, 11:54 am IST

આંગણવાડીઓ માટે 268 કરોડનો ખર્ચ કરાશેઃ નાણામંત્રી

આંગણવાડીઑને વધુ આધુનિક બનાવવા બજેટમાં 268 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
Feb 24, 2023, 11:51 am IST

આદિજાતિ વિકાસ વિભાગ માટે 3410 કરોડની જોગવાઈ

આદિજાતિ વિકાસ વિભાગ માટે 3410 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આદિજાતિના એકથી આઠમાં અભ્યાસ કરતા 13 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ માટે 117 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. દૂધ સંજીવની યોજના હેઠળ આદિજાતિ તાલુકાના આઠ લાખ બાળકો માટે 144 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
Feb 24, 2023, 11:47 am IST

બજેટમાં 24 ટકાનો વધારો

બજેટમાં 24 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષ કરતા આ વર્ષે 57053 કરોડ રુપિયાનો વધારો બજેટમાં કરવામાં આવ્યો છે. જેમાં શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવવામાં આવ્યુ છે. તો બીજા નંબરે આરોગ્ય વિભાગને બજેટ ફાળવવામાં આવ્યુ છે.
Feb 24, 2023, 11:42 am IST

આંબેડકર આવાસ યોજના માટે 222 કરોડની જોગવાઈ

આંબેડકર આવાસ યોજના અને પંડિત દિન દયાળ યોજના માટે 222 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. છોટાઉદેપુર, મોરબી અને ગિર સોમનાથમાં આંબેડકર ભવન બાંધવા પાંચ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં ચિલ્ડ્રન હોમ બનાવવા 8 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
Feb 24, 2023, 11:41 am IST

અનુસૂચિત જાતિ માટે 376 કરોડની જોગવાઈ

અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના દસમાં ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ પેટે 376 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એસસી,એસટી, લઘુમતી અને ઇડબલ્યુએસના વિદ્યાર્થીઓ માટે 334 કરોડની જોગવાઈ છે. તો અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન માટે 84 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની 2 લાખ વિદ્યાર્થીઓને વિના મૂલ્ય સાઇકલ આપવા 75 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
Feb 24, 2023, 11:38 am IST

ક્લાઇમેન્ટ ચેન્જ વિભાગ માટે 937 કરોડ રૂપિયા

ક્લાઇમેન્ટ ચેન્જ વિભાગ માટે 937 કરોડ રૂપિયાની જોગવાઇ, વન- પર્યાવરણ વિભાગ માટે 2 હજાર 63 કરોડની રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.
Feb 24, 2023, 11:36 am IST

ગુજરાત બજેટના 5 સ્થંભ

1. ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગ ની પાયાની સુવિધા માટે અંદાજે 2 લાખ કરોડની ફાળવણી 2. માનવ સંસાધન વિકાસ માટે 4 લાખ કરોડની ફાળવણી 3. વિશ્વ કક્ષાની આંતરાષ્ટ્રીય સવલતો માટે અંદાજે 5 લાખ કરોડ ની ફાળવણી 4. કૃષિ ઉદ્યોગ સેવાક્ષેત્રની આર્થીક પ્રવૃત્તિઓના વિકાસ માટે અંદાજે 2 લાખ કરોડ 5. ગ્રીનગ્રોથ માટે 2 લાખ કરોડની ફાળવણી
Feb 24, 2023, 11:33 am IST

સરકારી શાળાઓ માટે 109 કરોડની જોગવાઈ

સરકારી શાળાઓની માળખાગત સુવિધાઓની જાળવણી માટે 109 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ધોરણ એકથી આઠમાં RTEમાં અભ્યાસ કર્યો હોય અને ધોરણ આઠ પછી પણ ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તેવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
Feb 24, 2023, 11:33 am IST

ખેડૂત કલ્યાણ માટે 21 હજાર 605 કરોડ રૂપિયાની જોગવાઇ

કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 21 હજાર 605 કરોડ રૂપિયાની જોગવાઇ, વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગ માટે 2 હજાર 193 કરોડ રૂપિયાની જોગવાઇ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 3 હજાર 642 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.
Feb 24, 2023, 11:32 am IST

પાણી પુરવઠા વિભાગ માટે છ હજાર કરોડ રૂપિયાની જોગવાઇ
Feb 24, 2023, 11:31 am IST

એસટી બસમાં મફત મુસાફરી માટે 52 કરોડની જોગવાઈ

બૌદ્ધિક અસમર્થતા ધરાવતા વ્યક્તિઓને આર્થિક સહાય માટે 60 કરોડની જોગવાઈ કરાઇ છે. દિવ્યાંગનોને સાધન સહાય અને એસટી બસમાં મફત મુસાફરી માટે 52 કરોડની જોગવાઈ, પાલક માતા પિતા યોજના હેઠળની રાધા બાળકો માટે 73 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
Feb 24, 2023, 11:30 am IST

કુંવરબાઈ મામેરુ યોજના હેઠળ 54 કરોડની જોગવાઈ

અનુસૂચિત જાતિ માટે આંતર જ્ઞાતિય લગ્ન સહાય યોજના હેઠળ 20 કરોડની જોગવાઈ, કુંવરબાઈ મામેરુ યોજના હેઠળ 54 કરોડની જોગવાઈ અને સાત ફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
Feb 24, 2023, 11:29 am IST

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 5580 કરોડની જોગવાઈ

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 5580 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વૃદ્ધ પેન્શન યોજના અને નિરાધાર વૃદ્ધો માટે આર્થિક સહાય યોજના હેઠળ 11 લાખ લાભાર્થીઓને માસિક પેન્શન આપવા 1340 કરોડની જોગવાઈ કરાઇ છે. તો દિવ્યાંગોને પેન્શન આપવા માટે 58 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
Feb 24, 2023, 11:28 am IST

નાણામંત્રીનુ લાઈવ બજેટ ભાષણ

નાણામંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરી રહ્યા છે બજેટ ભાષણે
Feb 24, 2023, 11:27 am IST

ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ 8 હજાર 738 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.
Feb 24, 2023, 11:25 am IST

ગરીબોને પ્રોટીન અને વિટામીનયુક્ત આહાર

ગરીબ અને જરુરિયાતમંદ લોકોને રાહતદારે અનાજની સાથે વિશેષ પ્રોટીન અને વિટામીનયુક્ત આહાર ઉપલબ્ધ કરાવવા વ્યવસ્થા કરવામાં આવી છે.
READ MORE

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X