Gujarat budget 2024: પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે 113 કરોડની જોગવાઇ
Gujarat budget 2024: આજે ગુજરાતના નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ ગુજરાત વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે 113 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
વડનગરની ઐતિહાસિક ધરોહરોનું ગૌરવ જળવાય તે માટે પુરાતાત્વિક અનુભૂતિ સંગ્રહાલય, તાના-રીરી સંગીત સંગ્રહાલય સહિત અનેક પ્રકલ્પો વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગ્રંથાલય અને અભિલેખાગારો માટે 116 કરોડની જોગવાઈ
3000 ગ્રંથાલયોને 120 કરોડના ખર્ચથી પુસ્તકો, ઈ-બુક્સ, ઓનલાઇન રેફરન્સર મટિરિયલ, જરૂરી ફર્નિચર, નેટવર્ક કનેક્ટિવિટી અને ડિજિટલ લાયબ્રેરી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું નવતર આયોજન કરવામાં આવ્યું છે.
દસ્તાવેજી વારસાની યોગ્ય જાળવણી અને માવજત માટે રાજ્યના અભિલેખાગારોને અદ્યતન સુવિધાઓથી સુસજ્જ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
યુવકસેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે 122 કરોડની જોગવાઈ
યોગની પ્રવૃત્તિને વધુ વેગ આપવા માટે યોગ સ્ટુડિયો ઉભા કરવા અને નિભાવવા માટે પ્રોત્સાહન આપવા અંગેની યોજના કરવામાં આવ્યું છે. સિંધી ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે સિંધુ સાંસ્કૃતિક કેન્દ્રના નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
