ગુજરાત પેટા ચૂંટણી : ભાજપ, કોંગ્રેસે વડોદરા લોકસભા સહિત બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા
અમદાવાદ, 26 ઓગસ્ટ : દેશભરમાં લોકસભા ચૂંટણી 2014 બાદ ખાલી પડેલી વિધાનસભા અને લોકસભા બેઠકો પર સમગ્ર દેશમાં એક સાથે 13 સપ્ટેમ્બરે પેટા ચૂંટણી યોજાવાની છે. આ માટે ગુજરાત ભાજપે 10 બેઠકો માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જ્યારે ગુજરાત કોંગ્રેસે હજી સુધી પાંચ બેઠકો માટે જ ઉમેદવારો જાહેર કર્યા છે.
ભાજપે આજે લોકસભા બેઠક વડોદરા પર તેમના ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટના નામની જાહેરાત કરી છે. જ્યારે અન્ય નવ વિધાનસભા બેઠકો માટેના ઉમેદવાર આ મુજબ જાહેર કર્યા છે.

ડીસા - લેબજી ચમન ઠાકોર
મણિનગર - સુરેશ પટેલ
ટંકારા - બાવનજીભાઇ પટેલ
ખંભાળિયા - મૂળુભાઇ બેરા
માંગરોળ - લક્ષમણભાઇ યાદવ
તળાજા - શિવાભાઇ ગોહિલ
આણંદ - રોહિતભાઇ પટેલ
માતર - કેસરીસિંહ જેસાણભાઇ સોલંકી
લીમખેડા - જોખાભાઇ ભૂરિયા વીંછીયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાલી કરેલી વડોદરાની લોકસભા બેઠક માટે કોંગ્રેસે નરેન્દ્ર રાવતને ઉતાર્યા છે. આ પૂર્વે નરેન્દ્ર મોદી સામે ઉતરેલા મધુસૂજન મિસ્ત્રી ખરાબ માર્જીનથી હાર્યા હતા. આ ઉપરાંત પાંચ વિધાનસભા બેઠકો માટે કોંગ્રેસે જે ઉમેદવાર જાહેર કર્યા છે તે નીચે મુજબ છે.
મણિનગર - વિજય કેલ્લાના પુત્ર જતીન કેલ્લા
ટંકારા - દિલીપ સરડવા
જામખંભાળિયા - મેરામણ ગોરિયા
આણંદ - કાન્તિ સોઢા પરમાર
લીમખેડા - છત્રસિંહ મોરી
અન્ય ચાર બેઠકો માટેના ઉમેદવારોની યાદી આગામી એક બે દિવસમાં જાહેર થાય તેવી શક્યતા છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા











Click it and Unblock the Notifications
