શાહની વાત રૂપાણી કરી રિપીટ : કોંગ્રેસ જીતશે તો પાકમાં ફૂટશે ફટાકડા
અમિત શાહે જે બિહારની વિધાનસભાની ચૂંટણીમાં કહ્યું હતું તે વાત જ વિજય રૂપાણીએ ગુજરાતના આણંદમાં કહી છે આ અંગે વધુ જાણો અહીં
આણંદ ખાતે જાહેરસભાને સંબોધતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરમાં કહ્યું કે જો ભાજપ જીતશે તો ગુજરાતમાં ફટાકડા ફૂટશે અને જો કોંગ્રેસ જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે. નોંધનીય છે કે આ પહેલા પીએમ નરેન્દ્ર મોદી ખુદ તે વાત કહી ચૂક્યા છે કે પાકિસ્તાનને ગુજરાતની ચૂંટણીમાં ભારે રસ છે. અને પાકિસ્તાનના સેનાપતિ ઇચ્છે છે કે ગુજરાતમાં અહેમદ પટેલ મુખ્યમંત્રી બને. જો કે આ બાદ આ વાતનો વિવાદ પણ થયો હતો અને પાકિસ્તાને આ તમામ આરોપોથી પોતાને દૂર પણ કર્યું હતું. આમ નરેન્દ્ર મોદી પછી વિજય રૂપાણીએ પણ પાકિસ્તાનના નામે લોકોના મત પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.
જો કે નોંધનીય છે કે પાકિસ્તાન અંગે વિજય રૂપાણીએ આણંદની જે સભામાં બોલ્યા તે આ પહેલા પ્રદેશના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ બોલી ચૂક્યા. અમિત શાહે આજ વાક્યનો ઉપયોગ કર્યો હતો કે જો કોંગ્રેસ જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે. બસ ફરક તે હતો કે અમિત શાહે આ વાત બિહાર વિધાનસભાની ચૂંટણી વખતે કહેલી. અને તે પછી બિહારમાં ભાજપની ભવ્ય જીત પણ થઇ હતી. અને હવે આ વાત વિજય રૂપાણીએ ગુજરાતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કહી છે. ત્યારે હવે જોવાનું તે રહે છે કે આ વાતથી ગુજરાતમાં ભાજપને આવનારા સમયમાં કોઇ ફાયદો થાય છે કે નહીં?