વડોદરા:ચૂંટણી પહેલાં BJPના કાર્યકર્તાઓની અટકાયત
ગુરૂવારે રાજ્યમાં બીજા તબક્કાનું મતદાન છે ત્યારે વડોદરામાં આચારસંહિતાના ભંગ બદલ ભાજપના ઉમેદવારની અટકાયત કરવામાં આવી છે. Code of Conduct
ગુરૂવારે રાજ્યમાં બીજા તબક્કાનું મતદાન છે ત્યારે વડોદરામાં આચારસંહિતાના ભંગ બદલ ભાજપના ઉમેદવારની અટકાયત કરવામાં આવી છે. વડોદરામાં આવેલ રાવપુરાની બેઠક માટે આચારસંહિતા હોવા છતાં કેટલાક ભાજપના ઉમેદવારો પ્રચાર કરી રહ્યા હતા અને આ પ્રચાર દરમિયાન તેમણે કેટલીક પત્રિકાઓ પણ વહોંચી હતી. આથી આ કાર્યકરો સામે આચારસંહિતાના ભંગની ફરિયાદ નોંધવામાં આવી છે.

વડોદરાના રાવપુરામાં આ મુદ્દે પોલીસ દ્વારા કિશોર રાણા સહિતના 2 કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. આ મુદ્દે હોબાળો થયા બાદ ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ત્રિવેદી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જો કે ઘટનામાં ચૂંટણી અધિકારીઓ તથા ભાજપ કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હોવાની વાતો પ્રકાશમાં આવી હતી. ભાજપના કાર્યકરોએ ચૂંટણી પંચના અધિકારીઓની પણ તમા રાખી નહોતી અને એલફેલ બોલ્યા હતા. આ સમગ્ર ઘટના આજે વડોદરામાં ચર્ચાનો વિષય બની હતી.












Click it and Unblock the Notifications
