Video: BJPના ચૂંટણી પ્રચારમાં પાસ કાર્યકર્તાઓએ પાડી ખલેલ
ગુજરાત ભાજપ દ્વારા ડોર ટુ ડોર મુલાકાતનું અભિયાન શરૂ કરવામાં આવ્યુ હતું. જેમા સુરતના વરાછી વિસ્તારમાં પાટીદોર દ્વારા ભાજપના કાર્યકર્તાઓનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ અંગે વધુ વાંચો અહીં.
Recommended Video

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર શરૂ થતા પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં ભાજપને પ્રચારમાં પણ શરૂઆતથી જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બુધવારે સવારે ભાજપના કાર્યકરો સુરતના વરાછા વિસ્તારમાં પ્રચાર માટે ગયા હતા. ત્યારે પાસ(પાટીદાર અનામત આંદોલન સમિતિ)ના ધાર્મિક માલવિયા, વિજય માંગુકિયા, ચિરાગ સાવલિયા સહિતના કાર્યકરોએ ભાજપ વિરોધી નારા લગાવી તેમને પ્રચાર કરતા રોક્યા હતા. તેમજ જય સરદાર, જય પાટીદારના નારા લગાવ્યા હતા.

જો કે, આ બનાવ બાદ પોલીસે ધાર્મિક માલવીયા, વિજય માંગુકિયા સહિત બાર જેટલા પાસના કાર્યકરોની ધરપકડ કરી હતી અને તેમને અમરોલી પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યા હતા. ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે, આ પ્રકારે જ ભાજપનો વિરોધ સમગ્ર ગુજરાતમાં કરવામાં આવશે અને તેની શરૂઆત સુરતથી થઇ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પાટીદારોના વિરોધથી ભાજપને મુશ્કેલી પડી શકે તેમ છે. બીજી તરફ રાહુલ ગાંધીની સુરત મુલાકાત દરમિયાન ભાજપ અને કોગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા. જો કે, પોલીસે ભારે જહેમત બાદ મામલો થાળે પાડ્યો હતો.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
