'કાળા દિવસ'ની રેલીમાં ભાગ લેવા સુરત આવશે રાહુલ ગાંધી
ગુજરાત ચૂંટણી 2017: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 8 નવેમ્બરના રોજ આવશે સુરત
ગુજરાતમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયા બાદ નેતાઓ પૂર જોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતો વધી ગઇ છે. થોડા દિવસ પહેલાં જ સમાચાર આવ્યા હતા કે, રાહુલ ગાંધી 11 નવેમ્બરના રોજ ફરી એકવાર ગુજરાત પધારનાર છે. પરંતુ તાજેતરની જાણકારી અનુસાર, રાહુલ ગાંધી એ પહેલાં 8 નવેમ્બરના રોજ પણ ગુજરાતની મુલાકાત લેશે. 8 નવેમ્બર ને બુધવારે સવારે 10.30 કલાકે રાહુલ ગાંધી સુરત પહોંચશે. તેઓ સુરતમાં સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે વેપારીઓ સાથે મુલાકાત કરશે. આ મુલાકતમાં રાહુલ ગાંધી વેપારીઓ સાથે જીએસટી અંગે વાત કરે એવી શક્યતા છે. આ ઉપરાંત તેઓ કાળા દિવસની ઉજવણી હેઠળ કેન્ડલ માર્ચમાં પણ ભાગ લેશે.

ગત મહિને જ કોંગ્રસ તથા અન્ય વિપક્ષો દ્વારા 8 નવેમ્બરને કાળા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. 8 નવેમ્બરના રોજ નોટબંધીની જાહેરાતને એક વર્ષ પૂર્ણ થાય છે. તો સામે ભાજપ દ્વારા આ દિવસને કાળા નાણાં વિરોધી દિવસ તરીકે ઉજવવાની જાહેરાત થઇ હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં મંગળવારના રોજ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા અને અહીં તેમણે જીએસટી અને નોટબંધીના મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને ત્યાર બાદ વેપારીઓ સાથે પ્રશ્નોત્તરી કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. એ પછી હવે રાહુલ ગાંધી પણ સુરતના વેપારીઓ સાથે વાત કરવા સુરત આવનાર છે. સુરતના વેપારીઓએ જીએસટી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, આથી આગામી ચૂંટણીના સંદર્ભમાં રાહુલ ગાંધીની સુરત મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ કહેવાઇ રહી છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
