Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાત: મંદિરમાં ચડાવેલા ફૂલથી બનાવે છે ખાતર અને અગરબત્તી

ગુજરાતના અમદવાદમાં બે વિદ્યાર્થીોને એવો વિચાર આવ્યો કે તેમની પાસેથી દરેક વ્યક્તિએ આ શીખવું જોઈએ

ગુજરાતના અમદવાદમાં બે વિદ્યાર્થીોને એવો વિચાર આવ્યો કે તેમની પાસેથી દરેક વ્યક્તિએ આ શીખવું જોઈએ. આ બે વિદ્યાર્થીઓએ મંદિરો, ગુરુદ્વારા, ચર્ચ અને મસ્જિદમાં જમા થયેલા ફૂલના કચરામાંથી ખાતર અને અગરબત્તી બનાવવાની શરૂઆત કરી છે. એટલે કે કચરામાં ગયેલા ફૂલના કમ્પોસ્ટનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. જેને તેમણે બુક્સ એન્ડ બ્લૂમ્સ નામ આપ્યું છે. ફૂલના કચરાને તળાવ અને નદીમાં ફેંકાતો અટકાવવા માટે અને કચરો વધતો રોકવા માટેના વિદ્યાર્થીઓના આ પ્રયાસની રાજ્યભરમાં સરાહના થઈ રહી છે.

વાસી ફૂલથી વિદ્યાર્થીઓનું સ્ટાર્ટઅપ

વાસી ફૂલથી વિદ્યાર્થીઓનું સ્ટાર્ટઅપ

સંવાદદાતાએ આપેલી માહિતી પ્રમાણે આ વિદ્યાર્થીઓ સૂકાઈ-કરમાઈ ગયેલા કે ફંકાયેલા ફૂલને રિસાઈકલ કરીને તેનું ખાતર બનાવે છે. આ ઉપરાંત ભગવાનની પૂજામાં વપરાતી અગરબત્તી પણ બનાવી રહ્યા છે. આ વિદ્યાર્થીઓનું કહેવું છે કે ફૂલને પાણીમાં પધરાવાથી નદીઓ પ્રદૂષિત થાય છે. જો આ ફૂલના કચરાનો યોગ્ય ઉપયોગ કરીને કોઈ પ્રોડક્ટ્સ બનાવવામાં આવે તો તે લોકોને કામ આવી શકે છે, અને કોઈ પ્રકારની ગંદકી પણ નહીં થાય.

86 મંદિર સોંપ્યા

86 મંદિર સોંપ્યા

આ બંને વિદ્યાર્થીઓનું નામ છે યશ ભટ્ટ અને અર્જુન ઠક્કર. બંને 22 વર્ષના છે અને જીટીયુમાંથી એન્જિનિયરિંગ કરી રહ્યા છે. તેઓ બુક્સ એન્ડ બ્લૂમ્સ પ્રોજેક્ટ દ્વારા મંદિરમાં વપરાતા ફૂલોમાંથી ખાતર અને અગરબત્તી-ધૂપ વગેરે બનાવી રહ્યા છે. આ માટે તેમણે ઈનોવેશન પોલિસી એટલે કે SSIP અંતર્ગત કેમ્પસના પાછળના ભાગે સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. બાદમાં આ વિદ્યાર્થીઓનું સ્ટાર્ટઅપ સારુ ચાલતા નગરપાલિકાએ ઓગ્સટ 2018થી તેમની સાથે MoU કર્યા છે. હવે આ બંને યુવાનોને 80 મંદિર સોંપવામાં આવ્યા છે અને અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડનમાં એક વાહન પણ આપવામાં આવ્યું છે.

દરરોજ આવે છે 1000 કિલો ફૂલ, બને છે 100 કિલો ખાતર

દરરોજ આવે છે 1000 કિલો ફૂલ, બને છે 100 કિલો ખાતર

યશ ભટ્ટ અને અર્જુન ઠક્કરનું કહેવું છે કે ખાતર બનાવવા માટે ત્રણ મશીન વપરાય છે. થ્રેડર, માઈક્રોસ્કોપ અને સેવિંગ મશીનનો ઉપયોગ થાય છે. 30 દિવસની પ્રક્રિયા બાદ ખાતર તૈયાર થાય છે. દર રોજ 1000 કિલો ફૂલના કચરામાંથી 100 કિલો ખાતર બને છે. મંદિરમાં એક વાર ફૂલ ચડાવ્યા બાદ ફૂલને ભેગા કરવામાં આવે છે. ખાસ કરીને ગલગોટા અને ગુલાબના ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે.

3 મહિનાથી કરે છે કામ

3 મહિનાથી કરે છે કામ

3 મશીનોનો ઉપયોગ કરીને તેઓ ફૂલમાંથી ધૂપ અને અગરબત્તી બનાવે છે. જેમાં થ્રેડર, મિક્સર અને સેવિંગ મશીન સામેલ છે. થ્રેડરમાં ફૂલના નાના ભાગ અલગ કરવામાં આવે છે. મિક્સથી પાણી અને ઉત્તેજક પદાર્થોને મિક્સ કરવામાં આવે છે. બાદમાં સેવિંગ મશીનથી 30 દિવસ બાદ શુદ્ધ અગરબત્તી મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે.

દર મહિને વેચે છે 3 હજાર કિલો ખાતર

દર મહિને વેચે છે 3 હજાર કિલો ખાતર

દર મહિને 3 હજાર કિલોગ્રામ ખાતર જુદા જુદા મંદિરમાં વેચવામાં આવે છે. MoU અંતર્ગત 50 ટકા ખાતર નગરપાલિકાને આપવામાં આવે છે. લોકો ઓનલાઈન પોર્ટલ પરથી પણ ખાતર અને અગરબત્તી મેળવી શકે છે. 1 કિલો ખાતર અને 1 પેકેટ ધૂપની કિંમત 60 રૂપિયા છે. આ યોજના અમદાવાદમાં ચાલી રહી છે.

વિદ્યાર્થીઓને મળી રોજગારી

વિદ્યાર્થીઓને મળી રોજગારી

આ સ્ટાર્ટ અપમાં બે યુવાનોએ અન્ય 2 વિદ્યાર્થીઓને પણ રોજગારી આપી છે. આ યોજના અંતર્ગત 50 ટકા ખાતર નગરપાલિકાને ફ્રીમાં આપવામાં આવે છે. બાકીના 50 ટકા ખાતર વેચવામાં આવે છે. મંદિરો બહાર મહિલાઓને ધૂપનું પેકેટ પણ આપવામાં આવે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X