નવસારીમાં બુધવારે ધામધૂમથી ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી કરાશે

દરેક સપ્તાહના બુધવારના રોજ ગુજરાતના પ્રશ્નો અને વહીવટી મુદ્દાઓની ચર્ચા અર્થે રાખવામાં આવતી કેબિનેટ બેઠક આ અઠવાડિયે મુલત્વી રાખી ગુરૂવારના રોજ યોજવાની ગોઠવણ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. રાજ્યના સ્થાપના દિવસની ઉજવણીમાં તમામ મંત્રીઓ નવસારીમાં હાજર રહેશે.
ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજનારા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં 500 થી વધારે કલાકારો 21થી વધુ આદિવાસી લોકકલા - નૃત્યની જમાવટ કરશે. ગૌરવદિનની ઉજવણી માટે શહેરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. સમગ્ર જિલ્લા સહિત નવસારીમાં ઠેર-ઠેર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાતાં શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું છે.
નવસારી શહેર સહિત સમગ્ર જિલ્લામાં રસ્તાઓ, સર્કલોની નવિનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. સરકારી ઇમારતોના રંગરોગાન ઠેર-ઠેર સાફ-સફાઇ, પાણી-ડ્રેનેજની લાઇન બદલવાની કામગીરી નવા પ્રોજેકટોના ભૂમિપૂજન- ખાતમુહૂર્ત અને લોકાર્પણના અસંખ્ય કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. શહેર અને જિલ્લામાં ઠેર-ઠેર રોશની કરવામાં આવી છે. જાણે દિવાળી આવી હોય તેમ સહેર રોશનીથી ઝળહળી ઉઠયું છે.
રાજ્યના મહામહીમ રાજ્યપાલ ડૉ. કમલા બેનીવાલ તેમજ મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં 1 મેના રોજ ગૌરવ દિનની ભવ્યાતિભવ્ય ઉજવણી થશે. રાત્રે 8.00 કલાકે નવસારી લુન્સીકુઇના મેદાનમાં નિત્ય નૂતન નવસારી નામનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
આ પ્રસંગે ગુજરાત ગૌરવ પરેડ યાત્રા યોજાશે. જેમાં પોલીસ ચેતક કમાન્ડો, એનસીસી, એનએસએસ, વિવિદ વિભાગોની 26 જેટલા ટેબ્લોઝની બે કિલોમીટર લાંબી પરેડ શહેરમાં યોજાશે. જમાલપોરના સ્વામીનારાયણ મંદિર ખાતે નેવલ બેન્ડ કાર્યક્રમ યોજાશે. જેનું પ્રથમ વખત જ આયોજન કરવામાં આવ્યું છે.
આ મહત્વૂર્ણ ઉજવણીના કાર્યક્રમ માટે ઠેર-ઠેર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત માટે રાજ્યભરમાંથી પોલીસ જવાનો બોલાવવામાં આવ્યા છે. તથા વાહન વ્યવહાર માટે ઠેર-ઠેર ડાયવર્ઝન સહિત સુરક્ષા વ્યવસ્થા ચૂસ્ત બનાવામાં આવી છે. શહેર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે.
સ્થાપના દિનની ઉજવણીમાં મુખ્યમંત્રીના કાર્યક્રમની રૂપરેખા
- સવારે 10.05થી 10.35 દાંડી ખાતે પ્રાર્થના સભામાં હાજરી આપશે.
- બપોરે 11.00થી 12.30 નવસારી કૃષિ યુનિ. ખાતે ભૂમિવંદના કાર્યક્રમમાં ઉપસ્થિતિ.
- બપોરે 12.40થી 01.40 નવસારી ટાટા હોલમાં સ્વામી વિવેકાનંદ યુવા સંમેલનને સંબોધન.
- સાંજે 05.30થી 06.00 નવસારી લુન્સીકુઇ મેદાન સામે પોલીસ પરેડ તથા
ગુજરાત ગૌરવયાત્રાનું નિરીક્ષણ કરશે.
- સાંજે 06. 05થી 07.00 જમાલપોર સ્થિત સ્વામીનારાયણ મંદિરના બગીચામાં પુસ્તક વિમોચન અને નેવલબેન્ડ કાર્યક્રમમાં હાજરી.
- રાત્રે 08.00થી 10.15 નવસારી લુન્સીકુઇ મેદાનમાં ગુજરાત ગૌરવ દિવસ સન્માન સમારોહ અને ભવ્ય સાંસ્કૃતિક સમારોહ નિત્ય નૂતન નવસારી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
